શિયાળામાં ખજૂર ખાવાથી થાય છે આ ગજબના ફાયદાઓ, જાણો એક દિવસમાં કેટલી ખાવી ?

સ્વાસ્થ્યને લઈને થોડી બેદરકારી તમને શિયાળામાં બીમાર કરી શકે છે. આ સિઝનમાં તમારી જાતને સ્વસ્થ અને ફિટ રાખવા માટે તમારા આહારમાં ખજૂરનો સમાવેશ કરો. આ ડ્રાયફ્રુટને વિન્ટર ડ્રાય ફ્રુટ કહેવામાં આવે છે કારણ કે તેમાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ જેવા પોષક તત્વો મોટી માત્રામાં મળી આવે છે. તેને ખાવાથી લોહી વધે છે અને હૃદય અને મગજને પણ શક્તિ મળે છે. તો ચાલો જાણીએ કે આ સિઝનમાં તેને ખાવાથી શું સ્વાસ્થ્ય લાભ થાય છે અને દિવસમાં કેટલી ખાવી જોઈએ ?
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ખજૂર ખાવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે કારણ કે તેમાં દ્રાવ્ય ફાયબર ભરપૂર માત્રામાં હોય છે અને તેમાં એમિનો એસિડ પણ જોવા મળે છે. દરરોજ ખજૂરના સેવનથી પાચનની કોઈ સમસ્યા હોય તો તે દૂર થાય છે.

ખજૂરમાં પોટેશિયમ અને સોડિયમની માત્રા ઓછી હોવાથી તે શરીરની નર્વસ સિસ્ટમ માટે ખૂબ જ ફાયદાકારક છે. ખજૂર શરીરમાં LDL કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું રાખીને તમારા હૃદયના સ્વાસ્થ્યનું પણ રક્ષણ કરે છે.
ખજૂરમાં શરીરને એનર્જી આપવાની અદભૂત ક્ષમતા હોય છે. તેમાં ગ્લુકોઝ અને સુક્રોઝ જેવી મોટી માત્રામાં કુદરતી શર્કરા હોય છે. જો તમે દૂધ સાથે ખજૂર લો છો તો તે તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે.
ખજૂર ગર્ભવતી મહિલાઓમાં થતી અનેક પ્રકારની સમસ્યાઓથી રાહત આપે છે. તેનાથી રક્તસ્ત્રાવ ઓછો થાય છે. ગર્ભવતી મહિલાઓએ ખજૂરનું સેવન કરવું જોઈએ.
જો તમે વધતા વજનથી પરેશાન છો તો ખજૂરનું સેવન કરો, કારણ કે તેમાં રહેલા તત્વો વજન વધારવામાં મદદરૂપ છે. આલ્કોહોલ પીવાથી શરીરને નુકસાન ન થાય તે માટે પણ ખજૂરનો ઉપયોગ કરવામાં આવે છે.
ખજૂરને આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારે ખાલી પેટ તેનું સેવન કરો. ખાલી પેટે ખાવાથી તમે દિવસભર ઉર્જાનો અનુભવ કરશો. તમે એક દિવસમાં 3 થી 4 ખજૂરનું સેવન કરી શકો છો.