ભારતના આ રાજ્યમાં રહે છે સૌથી વધુ શાકાહારી, જાણો વિગત
ભારત એક એવો દેશ છે જેમાં અનેક ધર્મ અને જાતિના લોકો વસે છે. આવા ભારતીયોની ખાવા-પીવાની રીત પણ અલગ છે. જે દરેક રાજ્યમાં અલગ-અલગ દેખાય છે. સોશિયલ મીડિયા પર પણ ભારતમાં ખાવા-પીવાની ચર્ચાઓ થતી રહે છે. ભારતનો એક વર્ગ મોટાભાગે માંસાહારી ખોરાક ખાય છે જ્યારે બીજો વર્ગ મોટાભાગે શાકાહારી ખોરાક ખાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો કે દેશમાં નોનવેજ ખાનારા લોકોની સંખ્યા વધુ છે. આવી સ્થિતિમાં, શું તમે જાણો છો કે દેશના કયા રાજ્યમાં માંસાહારી ખોરાક સૌથી ઓછો ખવાય છે?
દેશમાં સૌથી વધુ શાકાહારી લોકો ઉત્તર ભારત અને મધ્ય ભારતમાં છે. આ રાજ્યોમાંથી એક એવું રાજ્ય છે જ્યાં સૌથી વધુ શાકાહારી લોકો રહે છે.
વાસ્તવમાં અમે વાત કરી રહ્યા છીએ હરિયાણાની. અહીં 80 ટકા મહિલાઓ અને 56 ટકા પુરુષોએ ક્યારેય માંસાહાર ખાધું નથી.
રાજસ્થાન બીજું રાજ્ય છે જ્યાં સૌથી ઓછી સંખ્યામાં માંસાહારી લોકો રહે છે. અહીં 75 ટકા મહિલાઓ અને 63 ટકા પુરૂષો શાકાહારી છે
જો કે, છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં માંસ ખાનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. એક સર્વેમાં આ વાત સામે આવી છે.