Health: ક્યાંક તમે પણ આ વસ્તુઓ સાથે પાણી નથી પીતાને..બંધ કરી દો, નહીંતર પડશો બિમાર

તરબૂચ ખાધા પછી પાણી ન પીવું જોઈએ, તરબૂચમાં 95 ટકા સુધી પાણી હોય છે. આવી સ્થિતિમાં તરબૂચ ખાધા પછી પાણી પીવાથી પાચક રસ પાતળો થઈ જાય છે, જેનાથી અપચો થઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
જામુન ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ. આમ કરવાથી તમને કફ અને શરદીની સમસ્યા થઈ શકે છે.

સફરજનમાં ભરપૂર માત્રામાં ફાઈબર જોવા મળે છે, જેનાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, પરંતુ જો તમે સફરજન ખાધા પછી તરત જ પાણી પી લો તો આ ફાઈબર તમારા આંતરડા સુધી પહોંચતું નથી અને કચરામાં પરિવર્તિત થઈ જાય છે.
નારંગી ખાધા પછી તરત જ પાણી ન પીવું. આના કારણે પાચન પ્રક્રિયા વધુ પડતી સ્મૂથ બની જાય છે, જેના કારણે લૂઝ મોશન અને ડાયેરિયાનો સામનો કરવો પડી શકે છે.
મગફળીમાં ઘણું તેલ હોય છે, તેથી તેને ખાધા પછી તરત જ પાણી ન પીવું.પાણી પીવાથી ફૂડ પાઈપમાં ચરબી જમા થવાની સંભાવના રહે છે, જેનાથી કફ અને ગળામાં દુખાવો થઈ શકે છે.
અનાનસ ખાધા પછી પણ પાણી ન પીવું જોઈએ. આના કારણે પાચન પ્રક્રિયા ધીમી પડી જાય છે અને ખોરાક પેટમાં લાંબા સમય સુધી રહે છે, જે ચરબીમાં ફેરવાય છે અને શરીરમાં ઇન્સ્યુલિનની માત્રામાં વધારો કરે છે.