ગુજરાતને ગૌરવ અપાવનારા મહાન જાદુગરનું નિધન, વિશ્વના સૌથી ઝડપી જાદુગરનો ખિતાબ જીતેલો, ક્યા અનોખા ખેલ શોધેલા ?
અમદાવાદઃ વિશ્વ પ્રસિધ્ધ જાદુગર જુનિયર કે. લાલનું રવિવારે નિધન થતાં જાદુની કલાને જીવંત રાખનારા વધુ એક મહાન જાદુગરે વિદાય લીધી છે. મહાન જાદુગર કે.લાલના સુપુત્ર એવા જુનિયર કે.લાલનું સાચું નામ હર્ષદરાય વોરાહતું અને પરિવાર તથા મિત્રજનોમાં હસુભાઈ તરીકે જાણીતા હતા. હસુભાઈનું દુઃખદ અવસાન થતાં તેમના ચાહકોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ભારતીય જાદ કલાને વૈશ્વિક સ્તરે પહોંચાડવામાં કે. લાલ અને તેમાન પુત્ર જુનિયર કે. લાલનું મોટું યોગદાન છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજુનિયર કે. લાલને કોરોના થયો હતો પણ સારવાર પછી સાજા થઈ ગયા હતા. તેમનો કોરોના રીપોર્ટ નેગેટિવ આવ્યા બાદ અચાનક હાર્ટ એટેક આવતાં તેમને અમદાવાદની સાલ હોસ્પિટલમાં દાકળ કર્યા હતા જ્યાં તેમણે રવિવારે દેહત્યાગ કર્યો હતો. સોમવારે આવતીકાલે સવારે તેમના નિવાસસ્થાનેથી તેમની અંતિમયાત્રા કોવિડના નિયમોનુસાર નીકળી હતી.
જુનિયર કે. લાલના પિતા કાંતિલાલ ગિરધરલાલ વોરા પોતાની જાદુ કળા માટે વિશ્વ પ્રસિધ્ધ હતા. જાદુગર કે. લાલ તરીકે જાણીતા કાંતિલાલે તેમની 62 વર્ષની કેરિયરમાં 22 હજારથી પણ વધુ જાદુના પ્રયોગો વિશ્વના વિવિધ ખૂણે ભજવ્યા હતા. તેમની સાથે તેમના પુત્ર હર્ષદરાય વોરા (હસુભાઈ વોરા) પણ નાની વયે જોડાયા. લગભગ 32 વર્ષ સુધી પિતા-પુત્રે સાથે જાદુના શો એક સાથે એક જ સ્ટેજ પર વિશ્વના ખૂણે ખૂણે કર્યા હતા. હસુભાઈએ પણ જુનિયર કે.લાલ તરીકે વિશ્વ પ્રસિદ્ધી મેળવી.
હસુભાઈને 1968માં અમેરિકાની ibm સંસ્થાએ વિશ્વના સૌથી ઝડપી જાદુગરનો ખિતાબ આપ્યો. તેઓ શરીરથી હાથ જુદા કરવા, જાયન્ટ કીલર શો, ધ ફ્લાઇંગ લેડી અને એવીલ જોકરને કારણે જાદુગરોમાં સન્માનનિય મનાતા હતા. તેમણે પોતે ઘણા નવા જાદુના ખેલ શોધ્યા હતા.
કોરોનાનનો ભોગ બનેલા હસુભાઈનો રીપોર્ટ નેગેટિવ આવ્યા બાદ ફરી તબીયત લથડતા રવિવારે હાર્ટ એટેક ને કારણે તેમનું અમદાવાદ ની સાલ હોસ્પિટલ ખાતે દુઃખદ અવસાન થયું હતું. તેમની અંતિમ યાત્રા સવારે ૯ વાગે તેમના ઇન્કમટેક્સ, અમદાવાદ ખાતેના નિવાસસ્થાનેથી નિકળી હતી.