PM Modi Gujarat Visit: PM મોદીએ સૌરાષ્ટ્રના કયા જાણીતા સંત સાથે કરી મુલાકાત ?
આ દરમિયાન તેમણે પરબધામના કરસનદાસ બાપુ સાથે મુલાકાત કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રધાનમંત્રી મોદી અને કરસનદાસ બાપુની આ તસવીરો ગુજરાત બીજેપીના ટ્વિટર હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવી છે.
તસવીરનું કેપ્શન 'સંત અને સેવક'ની મુલાકાત.. આપવામાં આવ્યું છે.
તસવીર શેર કરીને માનનીય પ્રધાનમંત્રીશ્રી એ પરબધામના પૂજ્ય કરસનદાસ બાપુ સાથે લાગણીસભર મુલાકાત કરી તેમ લખવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રીએ રેલીને સંબોધન કરતાં કહ્યું, વિકાસ અને ગુજરાતનો અતૂટ નાતો છે ગુજરાત વિકાસનું જનઆંદોલન બની ગયું છે. કોઇપણ સેક્ટર લો, તો આંકડાથી સિદ્વ થઇ શકે કે આપણા ગુજરાતના વિકાસની વાત કેટલી મજબૂત, દીર્ઘદ્રષ્ટીવાળી, સર્વવ્યાપી અને સર્વસમાવેશક છે.
પીએમ મોદીએ કહ્યું, મારા ગુજરાત અને ભારત સરકારમાં કામની શરૂઆત રાજકોટની ધરતીથી થઇ હતી. રાજકોટે મને આશીર્વાદ આપી મોકલ્યો હતો. આ જલારામ બાપા અને મા શક્તિસ્વરૂપા આઇ ખોડિયાર માતાના આશીર્વાદની ભૂમિ છે