1 લાખ પટેલ મતદારોવાળી આ બેઠક પરથી રેશ્મા પટેલ લડશે ચૂંટણી? ભાજપે ટીકિટ આપવાનું કર્યું નક્કી?
અમિત શાહ પાટીદાર અનામત આંદોલનને તોડી પાડવામાં આંશિક સફળતા મેળવી છે. અમિત શાહ સાથેની બેઠક પછી આ બંને નેતાઓએ પોતાના 40 સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ જવાની વિધિવત જાહેરાત પણ કરી દીધી છે. હાર્દિક પટેલના બે નજદિકિ નેતા ભાજપમાં જોડાઈ જવાથી તેને મોટો ફટકો પડ્યો છે. વરુણ પટેલે ભાજપમાં જોડાતા હાર્દિક પટેલ વિરુદ્ધ તીખી પ્રતિક્રિયા આપી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ જાહેરાતની સાથે જ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભાજપની પરંપરાગત ગણાતી વોટ બેંકમાં કોંગ્રેસે પાટીદાર આંદોલનને સાથ આપીને સેંધ લગાવવાની કોશિશ કરી છે. આમ છતાં ભાજપના ચાણાક્ય ગણાતા અમિત શાહે ગુજરાતમાં ઉભરી રહેલા પાટીદાર આંદોલન થકી નવા નેતાઓ પૈકી રેશ્મા પટેલ અને વરુણ પટેલ સાથે બેઠક કરી હતી.
ટંકારા બેઠક ઉપર અંદાજીત 1 લાખ પટેલોના મત છે તેથી પાર્લામેન્ટરી બોર્ડમાં રેશ્મા પટેલનું નામ ભાજપે નક્કી કરી લીધું છે અને મન બનાવી લીધું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પાસ નેતા રેશ્મા પટેલ અને વરુણ પટેલે શનિવારે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની સાથે ખાસ બેઠક કર્યા બાદ ભાજપમાં જોડાઈ જવાની જાહેરાત કરી હતી.
મોરબી અને ટંકારાની બેઠક ઉપર ભાજપ નવા મુરતિયા શોધી રહી છે. ટંકારામાં હાલના ભાજપના ધારાસભ્ય બાવનજી મેતલિયાની ઉમર 66 વર્ષ જેટલી થઈ છે અને નવો મુરતિયો કોઈ મળતો નથી. તેથી હાલમાં જોડાયેલા પૂર્વ પાસના નેતા રેશ્મા પટેલને લડાવાનું મન ભાજપે કરી લીધું હોવાનું સ્થાનિક લોકોમાં ચર્ચા છે.
હાલમાં હાર્દિક પટેલના મુખ્ય 2 સાથી વરુણ પટેલ અને રેશ્મા પટેલ ભાજપમાં જોડાતાં ભાજપે હાશકારો અનુભવ્યો અને આ બંન્નેને પક્ષ ટિકીટ આપી પાટીદાર પ્રભાવિત વિસ્તારમાંથી લડાવશે. હાલમાં ભાજપની પુરી થયેલી પાર્લામેન્ટરી બોર્ડમાં બંનેના નામની મહોર લાગી હોવાનું સુત્રોએ જણાવ્યું છે. મોરબીમાં આંદલોન ખૂબ મોટા પ્રમાણમાં ચાલી રહ્યું છે અને ભાજપના અનેક નેતાઓ અને મંત્રીઓને વિરોધનો સામનો કરવો પડ્યો હતો.
રાજકોટ: વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનની અસરને ઓછી કરવા માટે ભાજપ દ્વારા પાસના કન્વિનર રેશ્મા પટેલ અને વરુણ પટેલને પક્ષમાં સામેલ કરાયા છે. ત્યારે હવે એવી માહિતી મળી રહી છે કે રેશ્મા પટેલને ટંકારા બેઠક પરથી ભાજપ ટિકીટ આપશે.
રાજકોટ: વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનની અસરને ઓછી કરવા માટે ભાજપ દ્વારા પાસના કન્વિનર રેશ્મા પટેલ અને વરુણ પટેલને પક્ષમાં સામેલ કરાયા છે. ત્યારે હવે એવી માહિતી મળી રહી છે કે રેશ્મા પટેલને ટંકારા બેઠક પરથી ભાજપ ટિકીટ આપશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -