Indian Premier League: આઈપીએલ 2025 માટે ખેલાડીઓના નિયમો અને રિટેન્શન સ્કીમને મજબૂત કરવાની પ્રક્રિયા વચ્ચે ધોનીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. એવું માનવામાં આવે છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 પહેલા ખેલાડીઓ માટેના નિયમોની જાહેરાત કરતી વખતે મહેન્દ્ર સિંહ ધોનીને અનકેપ્ડ ખેલાડીઓની શ્રેણીમાં રાખી શકે છે.


રિટેન્શનનો જૂનો નિયમ પાછો લાવવાનું સૂચન કરવામાં આવ્યું


વાસ્તવમાં, 2008 અને 2021 ની વચ્ચે, IPLમાં એક નિયમ હતો કે 5 વર્ષ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર ક્રિકેટરને IPL ઓક્શનમાં અનકેપ્ડ પ્લેયરની સાથે સામેલ કરી શકાય છે. ગયા મહિને 31 તારીખે IPL ટીમના માલિકો અને IPL વહીવટીતંત્ર વચ્ચે યોજાયેલી બેઠકમાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. આ બેઠકમાં, રિટેન્શનનો જૂનો નિયમ પાછો લાવવાનું સૂચન કરવામાં આવ્યું હતું, જેનો ઘણા ફ્રેન્ચાઇઝ માલિકોએ વિરોધ કર્યો હતો. પરંતુ હવે જે સમાચાર આવ્યા છે તેનાથી CSK મેનેજમેન્ટને રાહત મળી શકે છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ આ માહિતી આપી છે.


CSKના CEOએ આપ્યું મોટું અપડેટ
જો BCCI જૂનો નિયમ લાગુ કરશે તો ધોનીને જાળવી રાખવો CSK માટે સસ્તો સોદો હશે. અગાઉના રિટેન્શન નિયમો મુજબ, અનકેપ્ડ પ્લેયરને 4 કરોડ રૂપિયામાં રિટેન કરી શકાય છે. IPL 2022 પહેલા યોજાયેલી મેગા ઓક્શનમાં CSKએ ધોનીને જાળવી રાખવા માટે 12 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ધોનીને 2025 IPL ઓક્શનમાં અનકેપ્ડ પ્લેયર તરીકે ગણવામાં આવશે, ત્યારે CSKના CEO કાસી વિશ્વનાથને TOIને કહ્યું કે તેમની પાસે આ વિશે કોઈ માહિતી નથી. તેણે આ માટે કોઈ વિનંતી કરી નથી. BCCIએ તેમને કહ્યું છે કે 'અનકેપ્ડ પ્લેયર રૂલ' રાખી શકાય છે.


હજુ એ સ્પષ્ટ નથી થયું કે ધોની આગામી સિઝન એટલે કે IPL 2025 રમશે કે નહીં. જોકે, થોડા દિવસો પહેલા ધોનીએ એક પ્રમોશનલ કાર્યક્રમમાં IPLની આગામી સિઝનમાં રમવા અંગે મોટું નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું હતું કે IPL 2025 માટે હજુ ઘણો સમય છે અને તેઓએ જોવું પડશે કે BCCI ખેલાડીઓને રિટેન કરવા અંગે શું નિર્ણય લે છે.


આ પણ વાંચો...


IPL 2025: કરોડો ખર્ચ કરી આ 3 ખેલાડીઓને રિટેન કરી શકે છે મુંબઈ ઈન્ડિયન્સ