Asia Cup Format: રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમે એશિયા કપ 2023નો ખિતાબ જીત્યો હતો. વળી, એશિયા કપ 2025 પહેલા મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એશિયા કપ 2025નું ફોર્મેટ બદલાશે. વાસ્તવમાં એશિયા કપ ODI ફોર્મેટમાં રમાયો છે, પરંતુ એશિયા કપ 2025 ODIમાં નહીં પરંતુ T20 ફોર્મેટમાં રમાશે, પરંતુ આ ટુર્નામેન્ટનું આયોજન કોણ કરશે ?


ઓમાન અને સંયુક્ત આરબ અમીરાતને મળી શકે છે યજમાની - 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એશિયા કપ 2025ની યજમાનીની રેસમાં ઓમાન અને સંયુક્ત આરબ અમીરાત સૌથી આગળ છે. એવું માનવામાં આવે છે કે ઓમાન અને સંયુક્ત આરબ અમીરાતને એશિયા કપ 2025ની યજમાની મળી શકે છે, પરંતુ સમાચાર લખાય છે ત્યાં સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. જોકે, એશિયા કપ 2025ના ફોર્મેટમાં બદલાવ લગભગ નિશ્ચિત છે. એટલે કે 2025માં આ ટૂર્નામેન્ટ ODIને બદલે T20 ફોર્મેટમાં રમાશે.


એશિયા કપમાં ભારતનો રહ્યો છે દબદબો - 
ભારતીય ટીમે એશિયા કપ 2023નો ખિતાબ જીત્યો. ટીમ ઈન્ડિયા એવી ટીમ છે જેણે સૌથી વધુ વખત એશિયા કપ જીત્યો છે. અત્યાર સુધી ભારતે આ ટૂર્નામેન્ટ 8 વખત વિક્રમી જીતી છે. વળી, આ ટૂર્નામેન્ટ પ્રથમ વખત વર્ષ 1984 માં રમાઈ હતી. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે એશિયા કપ 2023ની ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને 8મી વખત ટાઇટલ જીત્યું હતું. ભારતે ટાઈટલ મેચમાં શ્રીલંકાને 10 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરવા આવેલી શ્રીલંકાની ટીમ 15.2 ઓવરમાં માત્ર 50 રનમાં જ સમેટાઈ ગઈ હતી. જેના જવાબમાં ભારતીય ટીમે માત્ર 6.1 ઓવરમાં જ ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.


શ્રીલંકન ક્રિકેટ બોર્ડને મળી મોટી રાહત, ICCએ હટાવ્યો પ્રતિબંધ


ICC એ શ્રીલંકા ક્રિકેટ બોર્ડ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. ICCએ રવિવારે આ નિર્ણય લીધો હતો. ICC એ શ્રીલંકન ક્રિકેટ પરનો પ્રતિબંધ તાત્કાલિક અસરથી હટાવી લીધો છે. સરકારની દખલગીરીને કારણે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે શ્રીલંકન ક્રિકેટ પર પ્રતિબંધ મૂક્યો હતો. 10 નવેમ્બર, 2023 ના રોજ શ્રીલંકા ક્રિકેટને ICC ના સભ્ય તરીકે તેની જવાબદારીઓનું ઉલ્લંઘન કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. હવે 21 નવેમ્બરે ICC બોર્ડની બેઠક મળી અને નિર્ણય લેવામાં આવ્યો હતો કે શ્રીલંકા દ્વિપક્ષીય અને ICC ઇવેન્ટમાં રમી શકશે. પરંતુ આ દિવસોમાં રમાઈ રહેલા અંડર-19 વર્લ્ડ કપને દક્ષિણ આફ્રિકામાં ખસેડવામાં આવ્યો હતો જ્યારે પહેલા તે શ્રીલંકામાં રમાવાનો હતો. ICCએ જણાવ્યું કે હવે તેઓ સંપૂર્ણપણે સંતુષ્ટ છે, ત્યારબાદ શ્રીલંકા બોર્ડ પરથી પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે કહ્યું કે આઈસીસી બોર્ડ પરિસ્થિતિને જોઈ રહ્યું છે અને હવે તે સંતુષ્ટ છે કે શ્રીલંકા ક્રિકેટ હવે સભ્યપદની જવાબદારીઓનું ઉલ્લંઘન કરતું નથી. ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં રમાયેલા વર્લ્ડ કપ 2023માં શ્રીલંકન ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું, જેના પછી શ્રીલંકન સરકારના રમતગમત મંત્રીએ બોર્ડને જ સસ્પેન્ડ કરી દીધું હતું. ત્યારથી શ્રીલંકન ક્રિકેટમાં ઘણી ઉથલપાથલ ચાલી રહી હતી અને આવી સ્થિતિમાં આઇસીસીએ ક્રિકેટ બોર્ડ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. હવે લગભગ 3 મહિના બાદ ICCએ શ્રીલંકાના બોર્ડ પરથી આ પ્રતિબંધ હટાવી લીધો છે.


નવેમ્બરમાં પ્રતિબંધ, જાન્યુઆરીમાં રાહત


શ્રીલંકાની ટીમ વર્લ્ડ કપના લીગ રાઉન્ડમાંથી બહાર થઈ ગઈ હતી અને નવમા સ્થાને રહી હતી. આ કારણે ટીમ 2025માં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે પણ ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહી હતી. આવી સ્થિતિમાં શ્રીલંકાના રમતગમત મંત્રીએ સમગ્ર બોર્ડને બરખાસ્ત કરીને વચગાળાના પ્રમુખની નિમણૂક કરી હતી. જો કે, શ્રીલંકાની સુપ્રીમ કોર્ટે માત્ર એક દિવસ પછી આ નિર્ણયને પલટી નાખ્યો હતો. આવી સ્થિતિમાં 10 નવેમ્બરે ICCએ શ્રીલંકાના બોર્ડને અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરી દીધું હતું.