નવી દિલ્હીઃ ભારતના દિગ્ગજ સ્પિન બૉલર હરભજન સિંહે શુક્રવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. હરભજન સિંહે વર્ષ 1998માં ડેબ્યૂ કર્યુ હતુ, અને હવે 23 વર્ષની ક્રિકેટ કરિયરને હંમેશા માટે અલવિદા કહેવાનો નિર્ણય લીધો છે. માત્ર 17 વર્ષની નાની ઉંમરમાં હરભજન સિંહે પોતાની ક્રિકેટની શરૂઆત કરી હતી, અને આજે તે 41 વર્ષનો થઇ ચૂક્યો છે. આ વર્ષે નિવૃતિ લઇ ચૂકેલા ભારતીય ખેલાડીઓની જાણકારી અહી આપવામાં આવી છે.


 ઉનમુક્ત ચંદ


વર્ષ 2012માં અંડર-19 વર્લ્ડકપની ટીમ ઇન્ડિયાના કેપ્ટન રહી ચૂકેલા બેટ્સમેન ઉનમુક્ત ચંદે  અચાનક નિવૃતિની જાહેરાત કરી દીધી હતી. તે અમેરિકાની ટીમ તરફથી રમી રહ્યો છે. જોકે, તેણે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું નહોતું.


યુસુફ પઠાણ


ભારતના આક્રમક બેટ્સમેન ગણાતા યુસુફ પઠાણે પણ આ વર્ષે જ નિવૃતિની જાહેરાત કરી છે. તેણે ટીમ ઇન્ડિયા તરફથી 57 વન-ડે અને 22 ટી-20 મેચ રમ્યો છે.


નમન ઓઝા


મહેન્દ્રસિંહ ધોનીના રિપ્લેસમેન્ટ ગણાતા વિકેટકીપર બેટ્સમેન નમન ઓઝાએ અચાનક નિવૃતિ લઇ લીધી હતી. તે ફક્ત એક જ ઇન્ટરનેશનલ વન-ડે મેચ રમ્યો છે. તેણે એક ટેસ્ટ અને બે ટી-20 મેચ રમ્યો છે.


અશોક ડિંડા


ઝડપી બોલર અશોક ડિંડાએ આ વર્ષે  નિવૃતિની જાહેરાત કરી છે. તેણે ટીમ ઇન્ડિયા તરફથી 13 વન-ડે અને 9 ટી-20 મેચ રમી છે. અશોક ડિંડાએ 78 આઇપીએલ મેચ રમી છે.


વિનય કુમાર


ઝડપી બોલર વિનય કુમારે પણ આ વર્ષે જ નિવૃતિ લીધી હતી. તે ટીમ ઇન્ડિયા તરફથી એક ટેસ્ટ મેચ રમી છે. તે સિવાય 31 વન-ડે અને નવ ટી-20 મેચ રમી છે.


Gujarat Corona Cases: પાંચ મહિના બાદ રાજ્યમાં કોરોનાના  કેસનો આંકડો 100ને પાર 


 


મોદી સરકારની કબૂલાતઃ દેશમાં કોરોનાની ત્રીજી લહેરનો ખતરો, રાજ્યોને આપ્યા શું સાત મોટા આદેશ ?


 


કોરોનાના કેસો વધતાં ભારતમાં ક્યા રાજ્યમાં લદાયું લોકડાઉન ? ક્યા રાજ્યમાં કેવા પ્રતિબંધો મૂકાયા ?


 


J&K: જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓ સાથે સુરક્ષાદળો વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર