india vs ireland second t20: ભારત અને આયર્લેન્ડ વચ્ચેની T20 સિરીઝની બીજી મેચ 28 જૂનના રોજ બેલફાસ્ટમાં રમાવા જઈ રહી છે. પ્રથમ મેચમાં આયર્લેન્ડે ઐતિહાસિક પ્રદર્શન કરતા ટીમ ઈન્ડિયાને 34 રનથી હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. આ શરમજનક હાર બાદ કેપ્ટન શ્રેયસ ઐયર અને બેટ્સમેનોની આકરી ટીકા થઈ રહી છે. ત્યારે હવે બીજી T20માં ભારતીય ટીમ મેનેજમેન્ટ પોતાની ખામીઓ સુધારીને પ્લેઈંગ ઈલેવનમાં કેટલાક મહત્વના ફેરફારો કરી શકે છે. ખાસ કરીને 15 વર્ષીય યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂ પર સૌની નજર ટકેલી છે.
શું વૈભવ સૂર્યવંશી રમશે?
લાખો ભારતીય ક્રિકેટ ચાહકો 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીના ઈન્ટરનેશનલ ડેબ્યૂની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ લાગે છે કે આ રાહ હજુ થોડી લાંબી ખેંચાઈ શકે છે. હકીકતમાં, પ્રથમ T20 મેચ પહેલા જ કેપ્ટન શ્રેયસ ઐયર અને બેટિંગ કોચ સિતાંશુ કોટકે સ્પષ્ટ કર્યું હતું કે ટીમમાં પહેલાથી જ શાનદાર ફોર્મમાં રહેલા બેટ્સમેનો હાજર છે. એવામાં તેમને અચાનક બહાર બેસાડવા તેમના માટે અન્યાય ગણાશે.
બંનેએ સ્વીકાર્યું છે કે વૈભવ એક શાનદાર ક્રિકેટર છે, પરંતુ તેણે પોતાની તક માટે હજુ થોડી રાહ જોવી પડી શકે છે. આથી, પૂરી શક્યતા છે કે બીજી T20માં પણ વૈભવને બહાર જ બેસવું પડે.
પ્રિન્સ યાદવ અને સૂર્યાંશ શેડગે કરી શકે છે ડેબ્યૂ
બીજી મેચમાં ભારતીય બોલિંગ અને મિડલ ઓર્ડરમાં ફેરફાર જોવા મળી શકે છે:
પ્રિન્સ યાદવનું ડેબ્યૂ: પ્રથમ મેચમાં ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણ ઘણો મોંઘો સાબિત થયો હતો. તેણે પોતાની 4 ઓવરમાં જ 57 રન લૂંટાવી દીધા હતા. જેને જોતા તેની જગ્યાએ યુવા ખેલાડી પ્રિન્સ યાદવને T20 ઈન્ટરનેશનલમાં ડેબ્યૂ કરવાની તક મળી શકે છે.
સૂર્યાંશ શેડગેને તક: આ ઉપરાંત વોશિંગ્ટન સુંદરની જગ્યાએ સૂર્યાંશ શેડગે પણ ડેબ્યૂ કરી શકે છે. સુંદર પ્રથમ મેચમાં છઠ્ઠા ક્રમે બેટિંગ કરવા આવ્યો હતો અને માત્ર 9 રન જ બનાવી શક્યો હતો, સાથે જ બોલિંગમાં પણ તેને માત્ર 1 જ ઓવર આપવામાં આવી હતી.
આ પણ વાંચોઃ ઋષભ પંતનું 12 કરોડનું નુકસાન કંઈ નથી! જુઓ IPLમાં કયા ખેલાડીઓએ સૌથી વધુ પૈસા ગુમાવ્યા
બીજી T20 માટે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન:
અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, શ્રેયસ ઐયર (કેપ્ટન), તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, સૂર્યાંશ શેડગે, પ્રિન્સ યાદવ, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા.
આ પણ વાંચોઃ MI અને RR વચ્ચે મોટી ટ્રેડિંગની ચર્ચા: હાર્દિક પંડ્યાની રાજસ્થાનમાં એન્ટ્રી? MI ને મળશે નવો કેપ્ટન!
