IND vs NZ 3rd ODI Score : ન્યુઝીલેન્ડ સામે ત્રીજી વનડેમાં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત

IND vs NZ, 3rd ODI: ન્યુઝીલેન્ડે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું છે.

gujarati.abplive.com Last Updated: 24 Jan 2023 09:21 PM
ભારતીય ટીમે 3 મેચની શ્રેણીમાં ન્યૂઝીલેન્ડને 3-0થી હરાવ્યું

ટીમ ઈન્ડિયાએ ઈન્દોર વનડેમાં ન્યૂઝીલેન્ડને 90 રને હરાવ્યું છે. આ રીતે ભારતીય ટીમે 3 મેચની શ્રેણીમાં ન્યૂઝીલેન્ડને 3-0થી હરાવ્યું છે. આ સાથે જ આ જીત બાદ ટીમ ઈન્ડિયા ICC ODI રેન્કિંગમાં ટોપ પર પહોંચી ગઈ છે.  જો કે આ મેચમાં ન્યૂઝીલેન્ડને 386 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ કિવી ટીમ 41.2 ઓવરમાં માત્ર 295 રનમાં જ સમેટાઈ ગઈ હતી. ન્યુઝીલેન્ડ માટે ડ્વેન કોનવેએ શાનદાર સદી ફટકારી હતી, પરંતુ ટીમને જીત સુધી પહોંચાડી શક્યો નહોતો. ડ્વેન કોનવેએ 100 બોલમાં 138 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી.

ડેવોન કોનવે આઉટ

ડેવોન કોનવે આઉટ થયો છે.  ડેવોન કોનવે કેચ આઉટ થયો છે.  કોનવે ઉમરાન મલિકના બોલ પર કેચ આઉટ થયો છે. ન્યૂઝીલેન્ડની ટીમે 35 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 255 રન બનાવ્યા છે. 

ન્યૂઝીલેન્ડની ટીમને ચોથો ઝટકો

ન્યૂઝીલેન્ડની ટીમને ચોથો ઝટકો લાગ્યો છે. ટોમ લોથમ ખાતુ ખોલાવ્યા વગર પેવેલિયન પરત ફર્યો છે. શાર્દુલ ઠાકુરે ભારતને આ સફળતા અપાવી છે. ન્યૂઝીલેન્ડની ટીમે 25.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 184 રન બનાવ્યા છે. 

ન્યૂઝીલેન્ડની ટીમને બીજો મોટો ઝટકો

ન્યૂઝીલેન્ડની ટીમને બીજો મોટો ઝટકો લાગ્યો  છે. હેનરી નિકલ્સ 42 રન બનાવી આઉટ થયો છે. ટીમ ઈન્ડિયા તરફથી કુલદિપ યાદવે ભારતને આ બીજી સપળતા અપાવી છે. 

નિકોલસ અને કૉનવેયની શાનદાર બેટિંગ

386 રનના લક્ષ્યાંકની પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમે 13.1 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 90 રન બનાવી લીધા છે. હાલમાં નિકોલસ અને કૉનવેય મેદાન પર ખૂબ જ શાનદાર બેટિંગ કરી રહ્યા છે. 

ન્યુઝીલેન્ડને જીતવા 386 રનનો ટાર્ગેટ

ભારતે 50 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 385 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ 85 બોલમાં 101 રન,  ગિલે 78 બોલમાં 112 રન અને હાર્દિક પંડ્યે 38 બોલમાં 54 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 36, શાર્દુલ ઠાકુરે 25, ઈશાન કિશને 17 અને સૂર્યકુમાર યાદવે 14 રનનું યોગદાન આપ્યું હતું.  ન્યુઝીલેન્ડ તરફતી જેકોબ ડફીએ 100 રનમાં 3, ટિકનરે 76 રનમાં 3 વિકેટ લીધી હતી.

ભારતે ગુમાવી 5 વિકેટ

41 ઓવરના અંતે ભારતનો સ્કોર 5 વિરેટના નુકસાન પર 309 રન છે. હાર્દિક પંડ્યા 14 અને વોશિંગ્ટન સુંદર 8 રને રમતમાં છે. સૂર્યકુમાર યાદવ 14, ઈશાન કિશન 17 અને વિરાટ કોહલી 36 રન બનાવી આઉટ થયા તે પહેલા રોહિત શર્માએ 101 રન અને ગિલે 112 રનની શાનદાર ઈનિંગ રમવા સાથે પ્રથમ વિકેટ માટે 212 રનની ભાગીદારી કરી હતી.

ભારતે ગુમાવી બીજી વિકેટ

27 ઓવરના અંતે ભારતનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 230 રન છે. રોહિત શર્મા 85 બોલમાં 101 રન અને ગિલ 78 બોલમાં 112 રન બનાવી આઉટ થયા. વિરાટ કોહલી 5 બોલમાં 9 રને રમતમાં છે.

ઓપનરનો ડબલ ધમાકો

ભારતીય ઓપનર્સે શાનદાર દેખાવ કરતાં પ્રથમ વિકેટ માટે 200થી વધુ રનની ભાગીદારી કરી છે. રોહિત શર્માએ 83 બોલમાં અને ગિલે 72 રનમાં સદી ફટકારી છે. ભારતનો સ્કોર 26 ઓવરમાં વિના વિકેટે 212 રન છે.

રોહિત શર્માની વનડેમાં 49મી અડધી સદી 

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ વનડેમાં 49મી ફિફ્ટી ફટકારી હતી. રોહિતે ઓફ સ્પિનર ​​મિચેલ સેંટનરને સિક્સર ફટકારીને ફિફ્ટી પૂરી કરી હતી. 

ગિલની અડધી સદી

ભારતીય ટીમના ઓપનર શુભમન ગીલે પોતાની અડધી સદી પુરી કરી છે. તેણે 33 બોલમાં અડધી સદી ફટકારી હતી. 

મજબૂત શરૂઆત

15 ઓવરના અંતે ભારતનો સ્કોર વિના વિકેટે 128 રન છે. કેપ્ટન રોહિત શર્મા 50 બોલમાં 7 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે 71 રન અને શુબમન ગિલ 41 બોલમાં 9 ચોગ્ગા ને 2 છગ્ગા સાથે 59 રને રમતમાં છે.

ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવન

 રોહિત શર્મા , શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, ઉમરાન મલિક.

ભારતે બે ફેરફાર કર્યા

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ત્રીજી વનડે માટે પ્લેઈંગ-11માં બે મોટા ફેરફાર કર્યા છે. ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજને આરામ આપવામાં આવ્યો છે. તેના સ્થાને ઝડપી બોલર ઉમરાન મલિક અને લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલને તક આપવામાં આવી છે.

ટીમ ઇન્ડિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન

શુભમન ગિલ, વિરાટ કોહલી, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક.

આ મેદાન પર વનડેમાં ભારતનો અજેય રેકોર્ડ છે

હોલકર સ્ટેડિયમની પીચ બેટ્સમેન માટે અનુકૂળ માનવામાં આવે છે અને અહીં બોલરોએ બેટ્સમેનોને કાબૂમાં લેવા માટે ઘણી મહેનત કરવી પડશે. તે જોવું જોઈએ કે ઝડપી બોલરોને બીજી ઈનિંગમાં થોડી મદદ મળી શકે છે, જ્યારે સ્પિનરો મધ્ય ઓવરોમાં અસરકારક સાબિત થઈ શકે છે. ઈન્દોરનું મેદાન ભારતીય ટીમ માટે ખૂબ જ નસીબદાર રહ્યું છે કારણ કે તેણે અહીં પાંચ વનડે રમી છે અને તે તમામ જીતી છે.

ઉમરાન મલિક રમે તેવી શક્યતા છે

મોહમ્મદ શમી અથવા મોહમ્મદ સિરાજની જગ્યાએ ઝડપી બોલર ઉમરાન મલિકને તક મળે તેવી શક્યતા છે. લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલના નામ પર વિચાર કરી શકાય છે. જો કે, કુલદીપ યાદવને ડ્રોપ કરવામાં આવે તેવી શક્યતા નથી. વોશિંગ્ટન સુંદરને પણ પ્લેઈંગ-11માં રાખવામાં આવે તેવી આશા છે.

બ્રેકગ્રાઉન્ડ

ટીમ ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની છેલ્લી મેચ આજે ઈન્દોરમાં રમાશે.  રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ આ મેચ જીતીને કિવીઓને ક્લીન સ્વીપ કરવાનું લક્ષ્ય રાખશે. ભારતીય ટીમ પાસે આ મેચ જીતીને ICC રેન્કિંગમાં નંબર-1 પર બનવાની સુવર્ણ તક છે.


ટીમ ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની છેલ્લી મેચ આજે ઈન્દોરમાં રમાશે.  રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ આ મેચ જીતીને કિવીઓને ક્લીન સ્વીપ કરવાનું લક્ષ્ય રાખશે. ભારતીય ટીમ પાસે આ મેચ જીતીને ICC રેન્કિંગમાં નંબર-1 પર બનવાની સુવર્ણ તક છે.


ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી વન-ડે મેચ આજે (24 જાન્યુઆરી) ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડને 12 રને હરાવ્યું હતું. આ સાથે જ બીજી મેચમાં તેણે આઠ વિકેટથી શાનદાર વિજય મેળવ્યો હતો. આવી સ્થિતિમાં ટીમ ઇન્ડિયા આ મેચ જીતશે તો તે શ્રેણી 3-0થી કબજે કરી લેશે. ભારત પાસે ત્રીજી વનડે જીતીને નંબર-1 બનવાની તક પણ છે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યાથી શરૂ થશે.


કોહલી-રોહિત પાસે સારી ઇનિંગની આશા


ઓપનર શુભમન ગિલ શાનદાર ફોર્મમાં છે. ગિલે પ્રથમ મેચમાં બેવડી સદી ફટકારી હતી અને બીજી મેચમાં અણનમ 40 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્માએ બીજી મેચમાં પણ અડધી સદી ફટકારી હતી. શ્રીલંકા સામે બે અને બાંગ્લાદેશ સામે એક સદી ફટકારનાર વિરાટ કોહલી પ્રથમ બે મેચમાં નિષ્ફળ રહ્યો હતો, તેથી તેનું લક્ષ્ય પણ મોટી ઇનિંગ્સ રમવાનું રહેશે.


T20 નંબર-1 બેટ્સમેન સૂર્યકુમાર યાદવ પાસેથી સારી ઇનિંગ્સની અપેક્ષા રાખવામાં આવી હતી પરંતુ તે શ્રેણીની પ્રથમ મેચમાં નિષ્ફળ ગયો હતો. હાર્દિક પંડ્યા પણ મિડલ ઓર્ડરમાં પુરતું યોગદાન આપી શકતો નથી. પોતાના ડેબ્યુની રાહ જોઈ રહેલા રજત પાટીદાર પણ ટીમમાં હાજર છે. આવી સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટ રજતને ડેબ્યૂ આપે છે કે નહીં તે જોવાનું રહેશે. પાટીદારે સ્થાનિક સ્તરે પોતાના પ્રદર્શનથી પ્રભાવિત કર્યા છે.


ઉમરાન મલિક રમે તેવી શક્યતા છે


મોહમ્મદ શમી અથવા મોહમ્મદ સિરાજની જગ્યાએ ઝડપી બોલર ઉમરાન મલિકને તક મળે તેવી શક્યતા છે. લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલના નામ પર વિચાર કરી શકાય છે. જો કે, કુલદીપ યાદવને ડ્રોપ કરવામાં આવે તેવી શક્યતા નથી. વોશિંગ્ટન સુંદરને પણ પ્લેઈંગ-11માં રાખવામાં આવે તેવી આશા છે.


બીજી તરફ, ન્યૂઝીલેન્ડ આ મેચ જીતીને ભારતને ક્લીન સ્વીપ કરતા રોકવાનો પૂરો પ્રયાસ કરશે. ન્યૂઝીલેન્ડ બેટિંગમાં તેના કેપ્ટન કેન વિલિયમસનની ખોટ અનુભવી રહ્યું છે. ન્યૂઝીલેન્ડના ટોપ-6 બેટ્સમેનોએ છેલ્લી 30 ઇનિંગ્સમાં માત્ર સાત વખત 40 કે તેથી વધુ રન બનાવ્યા છે. અત્યાર સુધી માત્ર માઈકલ બ્રેસવેલ જ વર્તમાન સીરિઝમાં સારી બેટિંગ કરી શક્યો છે. જોકે મિશેલ સેન્ટનરે પણ હૈદરાબાદમાં પ્રથમ મેચમાં સારી બેટિંગ કરી હતી.


આ મેદાન પર વનડેમાં ભારતનો અજેય રેકોર્ડ છે


હોલકર સ્ટેડિયમની પીચ બેટ્સમેન માટે અનુકૂળ માનવામાં આવે છે અને અહીં બોલરોએ બેટ્સમેનોને કાબૂમાં લેવા માટે ઘણી મહેનત કરવી પડશે. તે જોવું જોઈએ કે ઝડપી બોલરોને બીજી ઈનિંગમાં થોડી મદદ મળી શકે છે, જ્યારે સ્પિનરો મધ્ય ઓવરોમાં અસરકારક સાબિત થઈ શકે છે. ઈન્દોરનું મેદાન ભારતીય ટીમ માટે ખૂબ જ નસીબદાર રહ્યું છે કારણ કે તેણે અહીં પાંચ વનડે રમી છે અને તે તમામ જીતી છે.


ટીમ ઇન્ડિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન


શુભમન ગિલ, વિરાટ કોહલી, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.