India vs England 2nd T20I: શનિવારે (4 જુલાઈ) માન્ચેસ્ટરમાં રમાયેલી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી T20 મેચમાં ભારતીય ટીમને 4 વિકેટે હારનો સામનો કરવો પડ્યો છે. જીતની એકદમ નજીક પહોંચ્યા બાદ અચાનક બાજી પલટાઈ ગઈ અને મેચ ઇંગ્લેન્ડના હાથમાં સરી ગઈ. આ હાર બાદ ચાહકો નિરાશ છે, ત્યારે ભારતના પૂર્વ ક્રિકેટર અને જાણીતા કોમેન્ટેટર આકાશ ચોપરાએ આ હાર પાછળનું સાચું કારણ જણાવ્યું છે. રસપ્રદ વાત એ છે કે, કેપ્ટન શ્રેયસ ઐયરે પણ આ જ વાત સાથે સહમતિ દર્શાવીને પોતાની ભૂલ ખુલ્લા મને સ્વીકારી લીધી છે.

Continues below advertisement

16મી અને 17મી ઓવરમાં જ મેચ ખતમ થઈ ગઈ: આકાશ ચોપરા

આકાશ ચોપરાએ પોતાની યુટ્યુબ ચેનલ પર મેચનું વિશ્લેષણ કરતા સ્પષ્ટ કહ્યું કે, બીજી T20 મેચમાં ભારતની હાર અર્શદીપ સિંહ અને રવિ બિશ્નોઈની ઓવરોમાં જ નક્કી થઈ ગઈ હતી. આ બંને બોલરોએ પોતાની ઓવરમાં અનુક્રમે 27 અને 29 રન લૂંટાવ્યા હતા. આકાશે જણાવ્યું કે, "મેચ ત્યાં જ ખતમ થઈ ગઈ હતી, કારણ કે આપણી પાસે બચાવ કરવા માટે બોર્ડ પર 225 રન નહોતા કે આપણે આટલા રન આપી શકીએ."

Continues below advertisement

ચોપરાએ બંને ટીમોની 16મી અને 17મી ઓવરની સરખામણી કરીને હાર-જીતનો આખો તફાવત સમજાવ્યો. ઇંગ્લેન્ડના બોલરોએ આ બે ઓવરમાં માત્ર 9 રન જ આપ્યા હતા, જ્યારે ભારતીય બોલરોએ આ જ બે ઓવરમાં 39 રન આપી દીધા! ખાસ કરીને 17મી ઓવર નાખવા આવેલા રવિ બિશ્નોઈએ 29 રન આપ્યા, જેમાં તેણે બે નો-બોલ (બેક-ફૂટ) પણ ફેંક્યા હતા. આ જ ઓવર ભારત માટે સૌથી મોંઘી અને નિર્ણાયક સાબિત થઈ.

આ પણ વાંચોઃ IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય

કેપ્ટન શ્રેયસ ઐયરે પણ સ્વીકારી ભૂલ

આ હાર બાદ કેપ્ટન શ્રેયસ ઐયરે પણ સ્વીકાર્યું કે 17મી ઓવર જ મેચનો ટર્નિંગ પોઇન્ટ હતી. ઐયરે કોઈ ખેલાડીનું સીધું નામ લીધા વિના પોતાની વાત મૂકતા કહ્યું, "મને ખબર છે કે અમારાથી ક્યાં ભૂલ થઈ છે, પણ હું કોઈ ખેલાડીનું નામ લેવા માંગતો નથી. 15મી ઓવર પછી જ મેચ અમારા હાથમાંથી સરકી ગઈ હતી. નો-બોલ પડ્યા પછી મને લાગ્યું કે રવિ કમબેક કરશે, પરંતુ 17મી ઓવરમાં આખી મેચ પલટાઈ ગઈ. આપણે આમાંથી પાઠ ભણવાની જરૂર છે."

હવે શ્રેયસ ઐયરની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયા આ ભૂલો સુધારીને આગામી મેચમાં વાપસી કરવાનો પ્રયાસ કરશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે T20 શ્રેણીની ત્રીજી મેચ 7 જુલાઈએ નોટિંગહામના ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાવાની છે.

આ પણ વાંચોઃ વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂ પર BCCI નો મોટો ખુલાસો, રાજીવ શુક્લાએ આપ્યું મોટું નિવેદન