અમદાવાદઃ  ટીમ ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણી 1-1થી બરાબરી પર છે. શ્રેણીની બાકીની બે મેચ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે રમાવાની છે. બંને ટીમો વચ્ચે ત્રીજી મેચ 24 ફેબ્રુઆરીથી રમાશે. ભારત અને ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ આજે અમદાવાદ આવી પહોંચશે.


મોટેરાના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે રમાનારી ત્રીજી મેચ ડે-નાઇટ ટેસ્ટ હશે. એક લાખ 10 હજારની ક્ષમતાવાળા આ સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બની ગયું છે. બધી ટિકિટો ત્રીજી કસોટી માટે વેચી દેવામાં આવી છે. વહીવટીતંત્રે ત્રીજી ટેસ્ટ માટે સ્ટેડિયમમાં ભાગ લેવા 50 ટકા દર્શકોને મંજૂરી આપી છે. ઇંગ્લેન્ડે અહીં બે ટેસ્ટ અને પાંચ ટી -20 મેચ રમવાની છે.

નવનિર્મિત મોટેરા સ્ટેડિયમમાં 24મી ફેબ્રુઆરીથી ભારત ઈંગ્લેન્ડ વચ્ચે પહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં 2 ટેસ્ટ મેચ, પાંચ ટી20 મેચ રમાશે. ટી20 સીરિઝ 12 માર્ચથી શરુ થશે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાઈ રહેલી ચાર મેચોની ટેસ્ટ સીરિઝની અંતિમ બે ટેસ્ટ મેચ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI)એ ટીમની જાહેરાત કરી દીધી છે.

ટીમ ઈન્ડિયા: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે( ઉપ કેપ્ટન), કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રિષભ પંત, રિદ્ધિમાન શાહા, આર અશ્વિન, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, વોશિંગટન સુંદર, ઈશાંત શર્મા, જસપ્રીત બુમરાહ, સિરાજ

પેટ્રોલના ભાવમાં સતત 10માં દિવસે વધારો, મોદીએ પેટ્રોલના ભાવ વધારા માટે કોંગ્રેસને જવાબદાર ગણાવી શું કહ્યું

રાશિફળ 18 ફેબ્રુઆરીઃ  મિથુન, તુલા રાશિના જાતકો ન કરતાં આ કામ, જાણો તમામ રાશિનું આજનું રાશિફળ