IND Vs ENG: ભારત સામે રમાઇ રહેલી ચાર ટેસ્ટ મેચની સીરિઝમાં ઈંગ્લેન્ડની ટીમ 2-1થી પાછળ છે. અમદાવાદમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં 10 વિકેટથી જીત બાદ ભારતીય ટીમ ચાલુ વર્ષે રમાનારી આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિનશિપની ફાઈનલમાં પહોંચવાની આશા પ્રબળ બની છે.. આ દરમિયાન અંતિમ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાને વધુ એક મોટો ફટકો લાગ્યો છે. ભારતીય ટીમનો ગુજરાતી ખેલાડી અને અમદાવાદના જસપ્રીત બુમરહાને ચોથી ટેસ્ટ માટે ટીમમાંથી રિલીઝ કરવામાં આવ્યો છે.


BCCIના ટ્વીટ મુજબ, જસપ્રીત બુમરાહે વ્યક્તિગત કારણોને લીધે ચોથી ટેસ્ટ મેચ પહેલા બીસીસીઆઈને ભારતની ટીમમાં મુકત કરવા વિનંતી કરી હતી. જેને લઈ ટીમ ઈન્ડિયામાંથી તેને મુક્ત કરવામાં આવ્યો છે.



ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી અને અંતિમ ટેસ્ટ 4 માર્ચથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ભારત મેચ જીતે કે ડ્રો કરશે તો પણ આઈસીસી વર્લ્ડ ચેમ્પિનશીપની ફાઈનલમાં પહોંચી જશે.

IND Vs ENG: ચોથી ટેસ્ટ પહેલા ઈંગ્લેન્ડની ટીમને લાગ્યો મોટો ઝટકો, વધુ એક ખેલાડી સ્વદેશ પરત ફર્યો