India vs Pakistan, Asia Cup 2023: એશિયા કપ 2023માં સુપર-4નો રોમાંચ હવે બમણો થઈ ગયો છે. ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં બે મેચ રમાઈ છે. ગ્રુપ સ્ટેજની પ્રથમ મેચ વરસાદને કારણે રદ્દ થઇ ગઈ હતી. પરંતુ બીજી વખત સુપર-4માં બંન્ને ટીમો સામ સામે ટકરાઇ હતી જેમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 228 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું.






વન-ડે ઈતિહાસમાં પાકિસ્તાન સામે રનના મામલે ભારતની આ સૌથી મોટી જીત છે. આ મેચ સાથે જ સુપર-4ના પોઈન્ટ ટેબલમાં રોમાંચ વધી ગઇ છે. પરંતુ તેની સાથે જ ફેન્સ માટે વધુ એક સારા સમાચાર આવી રહ્યા છે.


વાસ્તવમાં ક્રિકેટ ચાહકો હવે આ એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ત્રીજી શાનદાર મેચ પણ જોઈ શકશે. બંને ટીમો વચ્ચે આ ટક્કર ટૂર્નામેન્ટની ફાઈનલમાં થઈ શકે છે. આ ટાઈટલ મેચ 17 સપ્ટેમ્બરે કોલંબોમાં જ રમાશે.


પાકિસ્તાન સામે ભારતની સૌથી મોટી જીત


ભારતીય ટીમ આજે (12 સપ્ટેમ્બર) શ્રીલંકા સામે સુપર-4માં પોતાની બીજી મેચ રમવાની છે. આ મેચ જીતીને ભારતીય ટીમ ફાઈનલમાં સ્થાન નિશ્ચિત કરી લેશે. જો આમ થશે તો સુપર-4માં પાકિસ્તાને તેની છેલ્લી મેચમાં શ્રીલંકાને હરાવવું પડશે. જો પાકિસ્તાન મેચ જીતશે તો ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટક્કર નિશ્ચિત થઈ જશે.


સુપર-4નું વર્તમાન પોઈન્ટ ટેબલ


ભારત - 1 મેચ - 2 પોઈન્ટ, 4.560 નેટ રનરેટ


શ્રીલંકા - 1 મેચ - 2 પોઈન્ટ, 0.420 નેટ રનરેટ


પાકિસ્તાન - 2 મેચ - 2 પોઈન્ટ, -1.892 નેટ રનરેટ


બાંગ્લાદેશ - 2 મેચ - 0 પોઈન્ટ, -0.749 નેટ રનરેટ


ભારતીય ટીમે હજુ વધુ 2 મેચ રમવાની છે


પાકિસ્તાનને હરાવ્યા બાદ હવે ભારતીય ટીમે સુપર-4 રાઉન્ડમાં વધુ બે મેચ રમવાની છે. આ રાઉન્ડમાં ટીમને બીજી મેચ આજે (12 સપ્ટેમ્બર) શ્રીલંકા સામે રમાવાની છે. આ પછી ત્રીજી મેચ બાંગ્લાદેશ (15 સપ્ટેમ્બર) સામે રમાશે. જ્યારે પાકિસ્તાનની છેલ્લી મેચ 14 સપ્ટેમ્બરે શ્રીલંકા સામે છે.


ફાઈનલમાં પહોંચતા ભારત અને પાકિસ્તાનના સમીકરણ


-જો ભારતીય ટીમ તેની આગામી મેચમાં શ્રીલંકાને હરાવશે તો ફાઈનલમાં તેનું સ્થાન નિશ્ચિત થઈ જશે. આ પછી ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સાથે પણ મેચ રમવાની છે જે ઔપચારિક રહેશે.


- પાકિસ્તાને તેની છેલ્લી મેચ 14 સપ્ટેમ્બરે શ્રીલંકા સામે રમવાની છે. બાબર આઝમની ટીમને ફાઇનલમાં પહોંચવા માટે કોઈપણ ભોગે આ મેચ જીતવી પડશે. જો પાકિસ્તાન આ મેચ જીતશે તો ફાઇનલમાં ભારત સાથે ટક્કર થશે.


- જો પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચેની મેચ વરસાદને કારણે ધોવાઈ જાય તો બંને ટીમોના 3-3 પોઈન્ટ્સ બરાબર થઈ જશે. પછી નેટ રન રેટ જોવામાં આવશે. તે સ્થિતિમાં શ્રીલંકા ક્વોલિફાય થશે કારણ કે તેનો નેટ રન રેટ વધુ સારો છે.


- જો શ્રીલંકા આગામી મેચમાં ભારતને હરાવશે તો ટીમ ઈન્ડિયાને બાંગ્લાદેશને હરાવીને ફાઇનલમાં પહોંચવાની પૂરી આશા હશે. પરંતુ પાકિસ્તાને ફાઈનલ માટે તેની આગામી મેચમાં શ્રીલંકાને મોટા અંતરથી હરાવવું પડશે.