નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માત્ર ભારતની જ નહીં પરંતુ વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ છે. આ લીગે ટીમ ઈન્ડિયાને એવા ખેલાડી આપ્યા છે જેમણે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરીને અલગ ઓળખ ઉભી કરી છે. પરંતુ આઈપીએલ 2020ની સીઝનમાં કેટલોક રોમાંચક બદલાવ કરવામાં આવશે. જેની પાછળનું કારણ આઈપીએલને વધારે રોમાંચક બનાવવાનો છે.


ચાર એમ્પાયરઃ આઈપીએલ 2020 અત્યાર સુધીની તમામ સીઝનથી અલગ હશે. કારણકે આ વખતે ટુર્નામેન્ટના તમામ મુકાબલામાં ચાર-ચાર એમ્પાયર હશે. અત્યાર સુધી ક્રિકેટની આ સૌથી મોટી લીગના તમામ મુકાબલમાં બે ઓનફિલ્ડ એમ્પાયર અને એક ટીવી એમ્પાયર મળી કુલ ત્રણ એમ્પાયર હતા. પરંતુ નવી સીઝનમાં ચાર ચાર એમ્પાયર જોવા મળશે. ચોથો એમ્પાયર ટીવી એમ્પાયરની સાથે કામ કરશે અને તે નો-બોલ પર નજર રહેશે. આ કાણે તેને નો-બોલ એમ્પાયર પણ કહી શકાય.

કેમ જરૂર પડી ચોથા એમ્યાપરનીઃ આઈપીએલ 2019માં એમ્પાયરની અનેક ભૂલો જોવા મળી હતી. કેટલીક ભૂલોના કારણે તેની સીધી અસર મેચના પરિણામ પર પડી હતી. મુંબઈ ઈન્ડિયન્સ અને આરસીબીની મેચમાં એમ્પાયરે મલિંગાના બોલને નો-બોલ નહોતો આપ્યો. જેના કારણે આરસીબી મેચ હાર્યું હતું અને બાદમાં કોહલીએ એમ્પાયર એસ રવિ સાથે ઉગ્ર દલીલો કરી હતી. આવી ભૂલો ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ કારણે આઈપીએલ ગવર્નિંગક કાઉન્સિલે ફેંસલો કર્યો છે કે આઈપીએલ 2020માં ચોથો એમ્પાયર હશે. જેનું કામ નો-બલ પર નજર રાખવાનું હશે.

ગુજરાતમાં 7 IAS અધિકારીઓની કરાઈ બદલી, જુઓ લિસ્ટ

Vodafone-Idea આપશે મોટો ઝટકો, 1 ડિસેમ્બરથી મોંઘા કરશે તમામ પ્લાન

Hero Splendor i Smart: દેશની પ્રથમ BS-6 બાઈક, ખરીદતા પહેલા જાણો 5 ખાસ વાત

રાજ્યસભાનું 250મું સત્ર, PM નરેન્દ્ર મોદીના સંબોધનની 10 મોટી વાતો