IPL 2024: ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝનમાં સતત રસપ્રદ બાબતો બની રહી છે. હવે રોહિત શર્માના આગામી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની ફ્રેન્ચાઈઝી છોડવાના સમાચાર વચ્ચે લખનૌ સુપર જાયન્ટ્સના મુખ્ય કોચ જસ્ટિન લેંગરે રોહિતના એલએસજીમાં આવવાની સંભાવના પર મોટું નિવેદન આપ્યું છે. જસ્ટિન લેંગરને પૂછવામાં આવ્યું હતું કે જો IPL 2025ની મેગા ઓક્શનમાં તમામ ખેલાડીઓ બોલી લગાવવા માટે ઉપલબ્ધ હોય તો તેઓ કોને પોતાની ટીમમાં સામેલ કરવા ઈચ્છશે. લેંગરના જવાબે ચાહકોનું દિલ જીતી લીધું છે કારણ કે તેણે રોહિત શર્મા સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.


તમામ ટીમો 2025ની મેગા ઓક્શનમાં સૌથી મોટા ખેલાડીઓને સામેલ કરવા માંગશે


આગામી વર્ષની મેગા ઓક્શનમાં રોહિત શર્માને પસંદ કરવાની શક્યતા વિશે વાત કરતા એલએસજીના મુખ્ય કોચ જસ્ટિન લેંગરે કહ્યું, "હું રોહિત શર્માને પસંદ કરવા માંગુ છું. અમે તેને મુંબઈ ઇન્ડિયન્સ તરફથી અહીં લાવશું. તમારે ડીલ કરવામાં સારુ થવું પડશે. કારણ કે હું કલ્પના નથી કરી શકતો કે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રોહિત શર્મા અહીં કેવી રીતે આવશે. લેંગરે એમ પણ કહ્યું કે તે IPLમાં રોહિત શર્માની કિંમત વિશે જાણે છે કારણ કે તે માત્ર મોટી સિક્સર મારવામાં જ સક્ષમ નથી પરંતુ તે વર્લ્ડ ક્લાસ કેપ્ટન પણ છે. જસ્ટિન લેંગરના જણાવ્યા અનુસાર, તમામ ટીમો 2025ની મેગા ઓક્શનમાં સૌથી મોટા ખેલાડીઓને સામેલ કરવા માંગશે.


શું રોહિત શર્મા MI છોડી દેશે?
IPL 2024 ઘણા કારણોસર ચર્ચાનો વિષય બની રહ્યું છે, પરંતુ રોહિત શર્મા આ સિઝનની શરૂઆત પહેલા જ સમાચારમાં આવી ગયો હતો. 'હિટમેન'ના વિશ્વભરના ચાહકો નિરાશ થયા જ્યારે તેને મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન્સીમાંથી હટાવી દેવામાં આવ્યો. આ નિરાશાનું પરિણામ છે કે MIના નવા કેપ્ટન હાર્દિક પંડ્યાને ઘણો ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં, રોહિત અને હાર્દિક વચ્ચે અણબનાવના સમાચાર પણ જોર પકડી રહ્યા છે, તેથી કેટલાક અહેવાલો અનુસાર, રોહિત શર્મા IPL 2024 ના અંતમાં મુંબઈ ઇન્ડિયન્સ છોડી શકે છે. જેના કારણે મુંબઈને 5 વખત આઈપીએલ ચેમ્પિયન બનાવનાર રોહિત શર્મા મેગા ઓક્શનમાં બોલી લગાવવા માટે ઉપલબ્ધ થઈ શકે છે.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial