Moeen Ali On MS Dhoni:ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની છેલ્લી મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો, ત્યારપછી માનવામાં આવી રહ્યું હતું કે ચેન્નાઈ સુપર કિંગ્સ સિઝનની કેટલીક મેચોમાં મહેન્દ્ર સિંહ ધોની વગર રમી શકે છે પરંતુ ચાહકો માટે સારા સમાચાર છે.  મહેન્દ્ર સિંહ ધોની સંપૂર્ણ રીતે ફિટ છે એટલે કે તે આગામી મેચોમાં પણ મેદાન પર જોવા મળશે. અને આ દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડી મોઈન અલીએ એક એવું નિવેદન આપ્યું છે, જેને જાણીને તમે ખુશ થઈ જશો.  મોઇન અલીએ કહ્યું કે મહેન્દ્ર સિંહ ધોની ક્યાં સુધી IPLમાં રમશે ?


શું મહેન્દ્ર સિંહ ધોની છેલ્લી IPL સિઝન રમી રહ્યો છે?


એવું માનવામાં આવે છે કે આઈપીએલ 2023 મહેન્દ્ર સિંહ ધોનીની છેલ્લી સિઝન હોય શકે છે, પરંતુ મોઈન અલીએ સંકેત આપ્યો છે કે આ એમએસ ધોનીની છેલ્લી સિઝન નહીં હોય. મોઇન અલીએ કહ્યું કે મહેન્દ્ર સિંહ ધોની આગામી IPLમાં ચોક્કસપણે રમશે. મોઇન અલી કહે છે કે જ્યારે હું મહેન્દ્ર સિંહ ધોનીને નેટ્સ પર બેટિંગ કરતો જોઉં છું ત્યારે લાગે છે કે તે આગામી સિઝનમાં પણ આરામથી રમશે. આ સિવાય મહેન્દ્ર સિંહ ધોનીએ રાજસ્થાન રોયલ્સ સામે જે રીતે બેટિંગ કરી હતી તેના પરથી કંઈ કહેવાનું બાકી નથી. આ ઉંમરે આવી બેટિંગ જોવી ખરેખર એક શાનદાર અનુભવ છે.


મહેન્દ્ર સિંહ ધોની આગામી 2-3 સિઝન માટે ચોક્કસપણે રમશે - મોઈન અલી



મોઇન અલી કહે છે કે મહેન્દ્ર સિંહ ધોની બેટિંગ કરવા માટે છેલ્લા ક્રમે આવે છે, તે સરળ નથી, પરંતુ પૂર્વ કેપ્ટન તેની ભૂમિકા સરળતાથી નિભાવે છે. મને પૂરો વિશ્વાસ છે કે મહેન્દ્ર સિંહ ધોની આગામી સિઝનમાં પણ રમશે. તે જે રીતે મોટા શોટ સરળતાથી ફટકારી રહ્યો છે તે પ્રશંસનીય છે. આ સાથે તેણે કહ્યું કે મહેન્દ્ર સિંહ ધોની આગામી 2-3 સિઝન ચોક્કસપણે રમશે. મહત્વપૂર્ણ છે કે મહેન્દ્ર સિંહ ધોનીની ઉંમર લગભગ 41 વર્ષની છે. માનવામાં આવે છે કે IPL 2023ની સિઝન મહેન્દ્ર સિંહ ધોની માટે છેલ્લી સિઝન સાબિત થઈ શકે છે.