Navdeep Saini Ruled Out India A vs New Zealand A ODI Series:  ભારતીય ખેલાડી નવદીપ સૈની ઈજાને કારણે ભારત- એ ટીમમાંથી બહાર થઈ ગયો છે. તે ન્યૂઝીલેન્ડ-A સામેની બિનસત્તાવાર વન-ડે સીરિઝમાં રમશે નહીં. નવદીપ દુલીપ ટ્રોફીની બીજી સેમિફાઇનલ મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. તે નોર્થ ઝોનની ટીમનો ભાગ છે. નવદીપની જગ્યાએ ઋષિ ધવનને ઈન્ડિયા A ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.






બીસીસીઆઈએ ટ્વીટ કરીને સૈનીની ઈજા વિશે માહિતી આપી હતી. બોર્ડે તેની સત્તાવાર વેબસાઈટ પર લખ્યું હતું કે નવદીપ સૈની ઉત્તર ઝોન અને દક્ષિણ ઝોન વચ્ચે રમાઈ રહેલી દુલીપ ટ્રોફીની બીજી સેમીફાઈનલ મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો છે. તે વર્તમાન ટુર્નામેન્ટ તેમજ ભારત A અને ન્યુઝીલેન્ડ A વચ્ચેની આગામી ત્રણ મેચની ODI શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. પસંદગી સમિતિએ નવદીપની જગ્યાએ ઋષિ ધવનને ટીમમાં સામેલ કર્યો છે.


ઉલ્લેખનીય છે કે  નવદીપ સૈની એક શાનદાર બોલર રહ્યો છે. તેણે ટીમ ઈન્ડિયા માટે બે ટેસ્ટ, 8 ODI અને 11 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. આ દરમિયાન નવદીપે વનડેમાં 6, ટેસ્ટમાં 4 અને T20 ફોર્મેટમાં 13 વિકેટ ઝડપી હતી. તેણે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પણ 30 મેચ રમી છે. તેણે દુલીપ ટ્રોફીમાં પણ સારો દેખાવ કર્યો છે.


ઇન્ડિયા A ટીમ


પૃથ્વી શો, અભિમન્યુ ઇશ્વરન, રુતુરાજ ગાયકવાડ, રાહુલ ત્રિપાઠી, રજત પાટીદાર, સંજુ સેમસન (કેપ્ટન), KS ભરત (વિકેટકીપર), કુલદીપ યાદવ, શબાઝ અહેમદ, રાહુલ ચહર, તિલક વર્મા, કુલદીપ સેન, શાર્દુલ ઠાકુર, ઉમરાન મલિક, ઋષિ ધવન, રાજ અંગદ બાવા.


2022: સુનીલ નરેને રોહિત શર્માના કર્યા વખાણ, કોહલી સાથે તુલના પર આપ્યો જવાબ


IND vs AUS: આ ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓથી ટીમ ઈન્ડિયાએ રહેવું પડશે સાવધાન, એકલા પલટી શકે છે મેચ


PAK: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ ઇજાગ્રસ્ત ખેલાડીને ના આપ્યા પૈસા, ક્રિકેટર ખુદના પૈસે ઇંગ્લેન્ડ ઇલાજ કરાવવા પહોંચ્યો, જાણો