T20 World Cup 2022: T20 વર્લ્ડ કપ શરૂ થઈ ગયો છે. ભારતીય ટીમ 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની એક લાખ ટિકિટ વેચાઈ છે. ચાહકો હંમેશા આ મેચની રાહ જોતા હોય છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ આટલી મોટી હોવાથી બંને ટીમો પર દબાણ રહેશે. ચાલો જાણીએ આ મેચ માટે શું થઈ શકે છે, બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન અને કેટલીક અન્ય મહત્વપૂર્ણ બાબતો.


જો મેચ વરસાદથી ધોવાઇ જાય તો?


વિશ્વ કપના લીગ તબક્કાની મેચો માટે કોઈ અનામત દિવસ નથી. જો ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ વરસાદને કારણે ખલેલ પહોંચે છે અને મેચ રમી શકાતી નથી તો બંને ટીમો પોતપોતાની વચ્ચે પોઈન્ટ શેર કરશે.


ભારત vs પાકિસ્તાન, T20 વર્લ્ડ કપ 2022, સુપર-12 મેચ


સમય અને તારીખ: રવિવાર (23 ઓક્ટોબર) બપોરે 1:30 વાગ્યે.


ગ્રાઉન્ડ: મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ.


બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન કઈ હોઈ શકે?


ભારત: રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, હર્ષલ પટેલ, મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમાર.


પાકિસ્તાનઃ બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન, શાન મસૂદ, હૈદર અલી, ઈફ્તિખાર અહેમદ, આસિફ અલી, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, નસીમ શાહ, હરિસ રઉફ અને શાહીન શાહ આફ્રિદી.


શું હવામાન મદદ કરશે?


ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની રાહ જોઈ રહેલા ચાહકો નિરાશ થઈ શકે છે. વાસ્તવમાં 23 ઓક્ટોબરે મેલબોર્નમાં સારો વરસાદ અપેક્ષિત છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 70 ટકા વરસાદની આશંકા છે, જેના કારણે મેચમાં ખલેલ પહોંચશે.


આ પણ વાંચોઃ


Weight Loss: વજન ઘટાડો તે પણ માત્ર શાકભાજીથી, ભોજનમાં સામેલ કરો આ 5 શાકભાજીને