વડોદરા: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અને વડોદરાના રહેવાસી હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના પિતાનું અવસાન થયું છે. આ બંને સ્ટાર ખેલાડીના પિતા કૃણાલ પંડ્યાને હાર્ટ અટેક આવતાં નિધન થયું છે.


પિતાના નિધનના સમાચાર મળતાં કૃણાલ પંડ્યા સૈયદ મુસ્તાક અલી ટી-20 ટુર્નામેન્ટ છોડીને રવાના થયો હતો. તે વડોદરાની ટીમનું નેતૃત્વ કરતો હતો. તેના સ્થાને કેદાર દેવધરને વડોદરા ટીમનો કેપ્ટન બનાવાયો છે. જ્યારે હાર્દિક પંડ્યા ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝમાં ભારતીય ટીમનો હિસ્સો નથી. તે હાલ પત્ની અને પુત્ર સાથે સમય ગાળી રહ્યો છે.

હાર્દિક અને કૃણાલને ક્રિકેટર બનાવવા  માટે તેના પિતાએ ઘણી મહેનત કરી હતી.  હિમાંશું પંડ્યા લોન કન્સલ્ટન્ટ હતા.  વર્ષો પહેલા સુરતથી વડોદરા રહેવા માટે આવ્યા હતા, તેઓ વાઘોડિયા રોડ પર આવેલા ફ્લેટમાં 2 BHKમાં ભાડે રહેતા હતા. આ આર્થિક સંકળામળ વચ્ચે તેમના પિતા હિમાંશુ પંડ્યાને 2011માં પણ હાર્ટ અટેક આવ્યો હતો.

IND v AUS: 15 વર્ષ બાદ ભારતના ડેબ્યૂમેને બનાવ્યો મોટો રેકોર્ડ, જાણો વિગત

રાશિફળ 16 જાન્યુઆરીઃ જાણો આજે કઈ રાશિના જાતકોને થશે લાભ, કોણ રાખવી પડશે સાવધાની