Venkatesh Prasad Tweet on Shreyas Iyer: વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે સીરીઝ બાદ ટીમ ઈન્ડિયાએ હવે ટી20 સીરીઝની શરૂઆત જીત સાથે કરી છે. બંને ટીમો વચ્ચે શ્રેણીની પ્રથમ મેચ ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચમાં એકતરફી જીત નોંધાવી હતી, પરંતુ ટીમનો એક ખેલાડી શંકાના દાયરામાં આવી ગયો છે. એક પૂર્વ ભારતીય ક્રિકેટરે આ ખેલાડીની પસંદગી પર સવાલ ઉઠાવ્યા છે.


 






આ બેટ્સમેન પર ઉઠ્યા સવાલ


ભારતના પૂર્વ ક્રિકેટર વેંકટેશ પ્રસાદે ભારતની જીત બાદ સોશિયલ મીડિયા પર એક ટ્વિટ કર્યું છે. ટીમ ઈન્ડિયાની એકતરફી જીત બાદ પણ વેંકટેશ પ્રસાદ ખુશ નથી. તેઓએ પ્લેઇંગ 11માં શ્રેયસ ઐયરના સમાવેશ પર સવાલ ઉઠાવ્યા છે. તેમનું માનવું છે કે જ્યારે ટીમમાં દીપક હુડા, સંજુ સેમસન અને ઈશાન કિશન જેવા ખેલાડીઓ છે તો પછી શ્રેયસ અય્યરને ટી-20 ટીમમાં કેમ પસંદ કરવામાં આવ્યો.


પ્રથમ ટી-20 માં સંપૂર્ણપણે ફ્લોપ


વાસ્તવમાં, વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટી20માં દીપક હુડા, સંજુ સેમસન અને ઈશાન કિશનને બહાર રાખીને  શ્રેયસ અય્યરને તક આપવામાં આવી હતી, પરંતુ તે તેનો ફાયદો ઉઠાવી શક્યો ન હતો. મેચ બાદ વેંકટેશ પ્રસાદે ટ્વીટ કરીને લખ્યું, 'ટી-20 વર્લ્ડ કપને જોતાં કેટલીક પસંદગીઓને લઈને ઘણી ચિંતા થવી જોઈએ. જ્યારે તમારી પાસે સંજુ સેમસન, દીપક હુડ્ડા અને ઈશાન કિશન જેવા ખેલાડીઓ હોય, તો ટી-20માં ઐયરને રમતા જોવો અજીબ લાગે છે. વિરાટ, રોહિત અને કેએલ રાહુલ ચોક્કસપણે રમશે, તેથી ટીમને તેમના યોગ્ય સંતુલન પર કામ કરવાની જરૂર છે.


શ્રેયસ અય્યરને આ મેચમાં ત્રીજા નંબર પર બેટિંગ કરવાની તક મળી હતી, પરંતુ તે પોતાનું ખાતું પણ ખોલી શક્યો નહોતો. તેણે આ મેચમાં 4 બોલનો સામનો કર્યો અને એક પણ રન બનાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો. મેચની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 6 વિકેટના નુકસાન પર 190 રન બનાવ્યા અને વેસ્ટ ઈન્ડિઝ સામે 191 રનનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 122 રન જ બનાવી શકી હતી.


Crime News: વેરાવળના આ વન અધિકારીએ પરિણીતા પર ગુજાર્યો અનેક વખત બળાત્કાર, પોલીસ ફરિયાદ થતા ખળભળાટ


Vadodara : જાણીતા બિલ્ડરે યુવતીને અલગ અલગ લઈ જઈ માણ્યું શરીરસુખ, યુવતીના પિતાને પડી ગઈ ખબર ને પછી....


PIB Fact Check: PM મોદીએ સ્મૃતિ ઈરાનીની મંત્રીમંડળમાંથી હકાલપટ્ટી કરી ? જાણો વાયરલ મેસેજની હકીકત


Horoscope Today 30 July: શ્રાવણ મહિનાના શનિવારે શનિની આ રાશિઓ પર છે નજર, જાણો લો આજનું રાશિફળ


ભારત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, ગુજરાતના 540 ગામોને મળશે 4G મોબાઈલ સેવાનો લાભ, જુઓ ગામના નામની યાદી