India vs England T20 Series, Kohli, Pant and Bumrah: બર્મિઘમના એઝબેસ્ટૉમાં પાંચમી રિશિડ્યૂલ ટેસ્ટ રમ્યા બાદ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ ટી20 મેચો અને પછી ત્રણ વનડે મેચોની સીરીઝ રમાવવાની છે. ટી20 સીરીઝની પહેલી મેચને લઇને હવે મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી 7મી જુલાઇએ રમાનારી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટી20માં વિરાટ કોહલી, ઋષભ પંત અને જસપ્રતી બુમરાહ નહીં રમે. જાણો શું છે મામલો........ 


ખરેખરમાં, ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે પાંચમી રિશિડ્યૂલ ટેસ્ટ 1 જુલાઇથી 5 જુલાઇ વચ્ચે રમાશે. આ મેચ ખતમ થયા બાદ બે દિવસમાં જ એટલે કે 7 જુલાઇએ પહેલી ટી20 મેચ રમાવવાની છે. આવામાં વર્ક લૉડ અને ખેલાડીઓના થાકને ધ્યાનમાં રાખતા પહેલી ટી20માંથી કોહલી, પંત અને બુમરાહને આરામ આપવામાં આવી શકે છે. 


ખાસ વાત છે કે જો ભારતના સ્ટાર ખેલાડીઓ ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટી20માં નહીં રમે તો, બની શકે છે કે આયરલેન્ડ સામે હતી, તે જ ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે ઉતરી શકે છે. જોકે બીજી ટી20માં ભારતીય ટીમ એક્શન મૉડમાં આવી શકે છે. 


ભારતના ઇંગ્લેન્ડ પ્રવાસનુ પુરેપુરુ શિડ્યૂલ -


ટેસ્ટ સીરીઝ શિડ્યૂલ -
5મી ટેસ્ટ, એઝબેસ્ટૉન, 1 થી 5 જુલાઇ


T20 સીરીઝ શિડ્યૂલ -
પહેલી T20 - 7 જુલાઇ, એસેજ બાઉલ
બીજી T20 - 9 જુલાઇ, એઝબેસ્ટૉન
ત્રીજી T20 - 10 જુલાઇ, ટ્રેન્ટ બ્રિઝ 


વનડે સીરીઝ શિડ્યૂલ -
પહેલી વનડે - 12 જુલાઇ, ઓવલ
બીજી વનડે - 14 જુલાઇ, લૉર્ડ્સ
ત્રીજી વનડે - 17 જુલાઇ, માન્ચેસ્ટર 


આ પણ વાંચો........ 


Corona In India: છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 18 હજારથી વધુ નવા કેસ નોંધાયા, આટલા લોકોએ ગુમાવ્યો જીવ


વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ફરી એકવાર પડશે મોટું ગાબડું, આજે કોણ કોણ જોડાશે ભાજપમાં?


ગુજરાતના આ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો


Jeevan Umang Policy: આ યોજનામાં દરરોજ કરો 45 રૂપિયાનું રોકાણ, એક સાથે મળશે 36 લાખ રૂપિયા


Astrology Lazy Zodiac: આ ત્રણ રાશિના લોકો હોય છે ખૂબ આળસુ, જે સફળતામાં બને છે અવરોધ


Karnataka High Court: રખડતા કૂતરાના હુમલામાં બાળકનું મોત, કર્ણાટક હાઇકોર્ટે 10 લાખ વળતર આપવાનો આપ્યો આદેશ