યુવરાજ-રૈના માટે ટીમ ઈન્ડિયાના દરવાજા બંધ નથી થયા, જાણો કોણે આપ્યું આ નિવેદન
ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં ભારતીય ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીએ યુવરાજ સિંહ અને સુરેશ રૈનાને લઈને પણ નિવેદન આપ્યું છે. યુવરાજ અને રૈનાને ટીમમાં સ્થાન નહી આપવાના સવાલ પર રવિ શાસ્ત્રીએ કહ્યું, તેમના માટે ટીમ ઈન્ડિયાના દરવાજા બંધ નથી થયા, તેઓ ફિટ હશે તો તેમને ટીમમાં સામેલ કરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરવિ શાસ્ત્રીએ કહ્યું, કોઈપણ ખેલાડી રાષ્ટ્રીય ટીમમાં રમી શકે છે જો તેની ફિટનેસ સારી હોય તો, તેનું શાનદાર ફોર્મ હોય અને ફિલ્ડીંગ પણ સારી હોય.
જ્યારે બીજી તરફ યુવરાજ સિંહ પણ ફિટનેસ અને પ્રદર્શનના કારણે ટીમની બહાર જોવા મળી રહ્યો છે. ટીમ ઈન્ડિયામાં પસંદગી માટે થયેલા યો-યો ટેસ્ટમાં ફેલ થવાના કારણે આ બંને સ્ટાર ખેલાડી ટીમની બહાર છે. જેના કારણે બંનેને શ્રીલંકા સામે સીમિત ઓવરોની સીરીઝમાં પણ સામેલ નહોતા કરવામાં આવ્યા.
ઉલ્લેખનિય છે કે રૈનાએ ઓક્ટોબર 2015 બાદ ટીમ ઈન્ડિયા માટે વનડે મેચ નથી રમી. જેના લગભગ બે વર્ષ થયા છે. પરંતુ તે ચાલુ વર્ષની શરૂઆતમાં ટી20 ઈંટરનેશનલ મેચ રમ્યો હતો.
નવી દિલ્લી: શ્રીલંકા સામે ધમાકેદાર ક્લીન સ્વીપ બાદ ભારતીય ટીમની નજર આગામી ઓસ્ટ્રેલિયા સીરીઝ પર છે. આગામી સીરીઝમાં ટીમ ઈન્ડિયા 5 વનડે અને 3 ટી20 મેચ રમશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -