ઈન્દોરઃ હોલ્કર સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી ટોસ હાર્યો છે. બાંગ્લાદેશના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. જાન્યુઆરી 2018થી ટીમ ઈન્ડિયા ટેસ્ટમાં ટોસ હાર્યા બાદ સાતમાંથી છ ટેસ્ટ મેચ હાર્યું છે.


જાન્યુઆરી 2018માં ભારત સાઉથ આફ્રિકા કેપટાઉનમાં 72 રન અને સેન્ચુરીયનમાં 135 રને હાર્યું હતું. જ્યારે ઓગસ્ટ 2018માં ઈંગ્લેન્ડ સામે બર્મિંઘહામમાં 31 રને અને સાઉથટેમ્પનમાં 60 રને હાર થઈ હતી. જ્યારે સપ્ટેમ્બર 2018માં ઈંગ્લેન્ડના ઓવલમાં ભારતની 118 રનથી કારમી હાર થઈ હતી. જ્યારે ડિસેમ્બર 2018માં ઓસ્ટ્રેલિયાના પર્થમાં યજમાને ટીમ ઈન્ડિયાને 146 રનથી હરાવ્યું હતું.

હૈદરાબાદમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા ટોસ હાર્યું હોવા છતાં મેચ જીત્યું હતું.

આધાર કાર્ડમાં હવે સરળતાથી બદલી શકાશે સરનામું, કરવું પડશે આ કામ, જાણો વિગતે

બ્રિક્સ દેશોએ આર્થિક વિકાસન ગતિ આપી, કરોડો લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યાઃ મોદી