દક્ષિણ આફ્રિકા પ્રવાસને લઈને ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કયા કયા ખેલાડીને મળ્યું સ્થાન
T20 કાર્યક્રમ- પ્રથમ T20 18 ફેબ્રુઆરી, બીજી 21 ફેબ્રુઆરી, ત્રીજી 24 ફેબ્રુઆરી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવન-ડે કાર્યક્રમ- પ્રથમ વન-ડે 1 ફેબ્રુઆરી, બીજી વન-ડે 4 ફેબ્રુઆરી, ત્રીજી વન-ડે 7 ફેબ્રુઆરી, ચોથી વન-ડે 10 ફેબ્રુઆરી, પાંચમી વન-ડે 13 ફેબ્રુઆરી, છઠ્ઠી વન-ડે 16 જાન્યુઆરી
નવી દિલ્લી: ભારતીય ક્રિકેટ બોર્ડે સાઉથ આફ્રિકા સામે રમાનાર મેચોનો કાર્યક્રમ અને વન-ડે ટીમની જાહેરાત કરી દીધી છે. સાઉથ આફ્રિકા સામે 3 ટેસ્ટ, 6 વન-ડે અને 3 ટી-20 મેચ રમાશે છે. કેપ્ટન વિરાટ કોહલીની આગેવાનીમાં 17 ખેલાડીઓની ટીમ સાઉથ આફ્રિકા પ્રવાસ પર વન-ડે સીરીઝ રમશે. ટીમમાં ખાસ મોટા બલદાવ જોવા નથી મળ્યા. મુંબઈના ફાસ્ટ બોલર શાર્દૂલ ઠાકૂરની ટીમમા વાપસી થઈ છે. ઠાકૂર શ્રીલંકા સામેની વનડે સીરીઝમાં ટીમમાં સ્થાન મળ્યું હતું તેના બાદ ભારતમાં રમાયેલી બે વનડે સીરીઝમાં તેમની પસંદગી કરવામાં આવી નથી. ત્યાં મોહમ્મદ શામીની પણ વાપસી થઈ છે.
સાઉથ આફ્રિકા સામે રમાનાર ટેસ્ટ મેચોનો કાર્યક્રમ- પ્રથમ ટેસ્ટ 5 જાન્યુઆરીથી, બીજી ટેસ્ટ 13 જાન્યુઆરી, ત્રીજી ટેસ્ટ 24 જાન્યુઆરી.
સાઉથ આફ્રિકા પ્રવાસ પરની વન-ડે ટીમ- વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, મનીષ પાંડે, દિનેશ કાર્તિક, મહેન્દ્ર સિંહ ધોની, અજિંક્ય રહાણે, શ્રેયસ અય્યર, કેદાર જાધવ, હાર્દિક પાંડ્યા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શામી, શાર્દુલ ઠાકૂર
તો બીજી તરફ યુવરાજ સિંહ અને સુરેશ રૈનાની વાપસી થઈ નથી. શ્રીલંકા સામે વનડે સીરિઝમાં શાનદાર પ્રદર્શન કરનાર શ્રેયસ અય્યરને ટીમમાં યથાવાત રાખ્યા છે. આર અશ્વિન અને રવિન્દ્ર જાડેજા પણ વાપસી કરવામાં અસફળ રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -