નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)માં ગઇકાલે કિંગ્સ ઇલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી મેચમાં પંજાબના કેપ્ટન અશ્વિને રાજસ્થાનના બેટ્સમેન જોસ બટલરને માંકડ સ્ટાઇલમાં આઉટ કર્યો હતો. જે બાદ આઈપીએલના ચેરમેન રાજીવ શુક્લાએ દાવો કર્યો કે, વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોની સહિત આઈપીએલ કેપ્ટનોની એક બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે, લીગમાં કોઇપણ બેટ્સમેનને માંકડિંગથી આઉટ નહીં કરવામાં આવે,


શુક્લાએ કહ્યું કે, કેપ્ટનો અને મેચ રેફરીઓની બેઠકમાં આ બાબત નક્કી કરવામાં આવી હતી. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી તે કેપ્ટનો અને મેચ રેફરીની બેઠક હતી અને ચેરમેન તરીકે હું હાજર હતો. જેમાં નક્કી કરવામાં આવ્યું કે, જો બીજા છેડા પર ઉભેલો બેટ્સમેન તેની ક્રિઝ છોડી દે તો પણ બોલર શિષ્ટાચારના કારણોથી તેને રન આઉટ નહીં કરે.


કદાચ આ બેઠક કોલકાતામાં આઈપીએલની કોઈ એક સિઝન પહેલા થઈ હતી. જેમાં ધોની અને વિરાટ બંને હાજર હતા.

રાજસ્થાન રોયલ્સનો કયો ખેલાડી માંકડ સ્ટાઇલમાં રન આઉટ, જાણો વિગત


ભાજપના આ નેતાએ PM મોદી, અમિત શાહને કહ્યા ‘ગુજરાતી ઠગ’, BJPએ પાર્ટીમાંથી......