CSK released players IPL 2027: આઇપીએલ (IPL) ની સૌથી સફળ ટીમોમાંની એક એવી ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માં આ વખતે બધું જ બદલાઈ જાય તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. પૂરા 18 વર્ષ સુધી ટીમના મુખ્ય કોચ તરીકે સેવા આપનાર સ્ટીફન ફ્લેમિંગે ચેન્નાઈ સુપર કિંગ્સનો સાથ છોડી દીધો છે, જેના કારણે ફ્રેન્ચાઈઝી હવે સંપૂર્ણપણે નવો કોચિંગ સ્ટાફ લાવવાની તૈયારી કરી રહી છે. મીડિયા અહેવાલો મુજબ, IPL 2027 ની હરાજી પહેલાં ચેન્નાઈની ટીમમાં માત્ર મેનેજમેન્ટ જ નહીં, પરંતુ ખેલાડીઓના સ્તરે પણ મસમોટો ફેરબદલ જોવા મળી શકે છે. કોચ ફ્લેમિંગની વિદાય બાદ હવે રાહુલ ચહર સહિત એવા 5 ખેલાડીઓ સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યા છે, જેમને ફ્રેન્ચાઈઝી આ સિઝનમાં ટીમમાંથી રિલીઝ એટલે કે બહાર કરી શકે છે.

Continues below advertisement

IPL 2027 ની સીઝન શરૂ થાય તે પહેલાં આ વર્ષે ડિસેમ્બરમાં એક મિની હરાજી (Mini Auction) યોજાય તેવી પૂરેપૂરી શક્યતા છે. આ મિની ઓક્શન પહેલાં જ ચેન્નાઈ સુપર કિંગ્સ તેના નકામા સાબિત થયેલા ખેલાડીઓની છાંટણી કરીને પોતાના પર્સની રકમ વધારવા માંગે છે. ચાલો જાણીએ કે CSK આ વખતે કયા 5 ખેલાડીઓ પર સખત નિર્ણય લઈને તેમને ટીમમાંથી મુક્ત કરી શકે છે.

Continues below advertisement

આ 5 ખેલાડીઓ પર પડી શકે છે ગાજ:

ચેન્નાઈ સુપર કિંગ્સ આ વર્ષે અકીલ હોસીન, શ્રેયસ ગોપાલ, રાહુલ ચહર, પ્રશાંત વીર અને જેક ફોલ્કેસને ટીમમાંથી રિલીઝ કરી શકે છે. સામાન્ય રીતે ચેન્નાઈની ટીમ હંમેશા તેની વર્લ્ડ ક્લાસ સ્પિન બોલિંગ એટેક માટે જાણીતી રહી છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે સંભવિત રિલીઝ લિસ્ટમાં શ્રેયસ ગોપાલ, રાહુલ ચહર અને અકીલ હોસીન જેવા 3 મુખ્ય સ્પિનરોના નામ મોખરે ચાલી રહ્યા છે.

આ પણ વાંચોઃ IND vs ENG 1st ODI: ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પહેલી વન-ડે ક્યારે અને ક્યાં મફતમાં જોઈ શકશો? રોહિત-વિરાટની થશે એન્ટ્રી

કેમ આ ખેલાડીઓ CSK ની ગુડ બુકમાંથી બહાર થયા?

રાહુલ ચહર અને અકીલ હોસીન: રાહુલ ચહરને જ્યારે ટીમમાં સામેલ કરાયો ત્યારે તે મુખ્ય સ્પિનર બનશે તેવી આશા હતી, પરંતુ તેને IPL 2026 માં માત્ર 1 જ મેચ રમવાની તક મળી શકી હતી. બીજી તરફ, વેસ્ટ ઈન્ડિઝના અકીલ હોસીને કેટલાક પ્રસંગોએ સારો પ્રયાસ કર્યો, પરંતુ એક ઓવરઓલ પ્રભાવ છોડવામાં તે સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યો હતો.

પ્રશાંત વીર: સીએસકે દ્વારા ડાબોડી સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર પ્રશાંત વીર પર ₹14.2 કરોડનું મોટું રોકાણ કરવામાં આવ્યું હતું, જે ટીમ માટે એક મોટો ફ્લોપ શો સાબિત થયો છે. રવિન્દ્ર જાડેજાના વિકલ્પ તરીકે જોવામાં આવેલા પ્રશાંતે 6 મેચમાં માત્ર 90 રન બનાવ્યા અને તેને બોલિંગની પણ ખાસ તક મળી શકી નહીં.

જેક ફોલ્કેસ: ન્યુઝીલેન્ડના આ ઓલરાઉન્ડર ખેલાડીને તો આખી સિઝન દરમિયાન બેન્ચ પર જ બેસી રહેવું પડ્યું હતું અને તેને પોતાની યોગ્યતા સાબિત કરવાની 1 પણ તક મળી ન હતી.

હવે જોવાનું એ રહેશે કે ડિસેમ્બરની હરાજી પહેલાં ચેન્નાઈ સુપર કિંગ્સ કયા નવા રણનીતિ સાથે મેદાનમાં ઉતરે છે અને આ ખેલાડીઓના સ્થાને કયા નવા મેચ વિનર્સને ટીમમાં સામેલ કરે છે.

આ પણ વાંચોઃ ટીમ ઇન્ડિયાની શરમજનક હાર બાદ સૂર્યકુમાર યાદવની વાપસીના સંકેત, BCCI એ આપ્યું મોટું નિવેદન