Indian Premier League 2023: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 સિઝન શરૂ થવામાં હવે અઠવાડિયાનો સમય બાકી રહ્યો છે, પરંતુ તે પહેલા કોલકત્તા નાઇટ રાઇડર્સની મુશ્કેલીઓમાં સતત વધારો થઇ રહ્યો છે. પહેલા કેપ્ટન શ્રેયસ અય્યરની બેક ઇન્જરીના કારણે ટીમ એક મોટી મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે, હવે ફાસ્ટ બૉલર લૉકૂ ફર્ગ્યૂસનના ઇજાગ્રસ્ત હોવાના સમાચાર છે, આ ખબરે ટીમની ચિંતા સતત વધારી દીધી છે.  


ખરેખરમાં ન્યૂઝીલેન્ડની ટીમને શ્રીલંકા વિરુદ્ધ 25 માર્ચથી 3 મેચોની વનડે સીરીઝ રમવાની છે, જેમાં પહેલી મેચમાં  લૉકૂ ફર્ગ્યૂસન ઇજાગ્રસ્ત હોવાના કારણે બહાર થઇ ગયો છે. લૉકૂ ફર્ગ્યૂસને માત્ર આ મેચમાં જ ભાગ લેવાનો હતો, આ પછી તે આઇપીએલમાં ભાગ લેવા માટે પોતાના દેશમાંથી રવાના થવાનો હતો.  


લૉકૂ ફર્ગ્યૂસનનું શ્રીલંકાના વનડે સીરીઝની શરૂઆત થયા પહેલા ફિટનેસ ટેસ્ટ પાસ કરવામાં આવ્યો હતો, તે તેને પાસ ન હતો કરી શક્યો. લૉકૂ ફર્ગ્યૂસનને હેમસ્ટ્રીંગમાં ખેંચના કારણે બહાર થવુ પડ્યુ છે. જોકે, ન્યૂઝીલેન્ડે પહેલી વનડે માટે તેના સ્થાન માટે કોઇ ખેલાડીનુ રિપ્લેસમેન્ટ નથી કર્યુ. 


કોલકત્તા નાઇટ રાઇડર્સને 2જી એપ્રિલે રમવાન છે પોતાની પહેલી મેચ  -
આઇપીએલની આગામી સિઝનમાં કોલકત્તા નાઇટ રાઇડર્સની ટીમને પોતાના અભિયાનની શરૂઆત આગામી 2જી એપ્રિલથી કરવાની છે, 2જી એપ્રિલે કોલકત્તાની ટક્કર પંજાબ કિંગ્સ ઇલેવન સામે થવાની છે. 


શ્રેયસ અય્યરને ફિટ થવામાં સમય લાગશે - રોહિત શર્મા


અમદાવાદ ટેસ્ટ બાદ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ શ્રેયસ અય્યરની ઈજાને લઈને મોટું અપડેટ આપ્યું હતું. તેણે કહ્યું કે શ્રેયસ ઐય્યર હાલમાં પીઠના નીચેના ભાગમાં થયેલી ઈજા સામે ઝઝૂમી રહ્યો છે. ભારતીય કેપ્ટનના મતે શ્રેયસ અય્યરને ફિટ થવામાં સમય લાગશે. ખરેખર, IPL 2023ની શરુઆત 31 માર્ચથી થઈ રહી છે. આ રીતે IPL શરૂ થવામાં લગભગ 2 અઠવાડિયા બાકી છે. આવી સ્થિતિમાં શ્રેયસ અય્યરના આઈપીએલ સુધી ફિટ રહેવાની શક્યતા ઓછી છે. માનવામાં આવી રહ્યું છે કે તે આખી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ શકે છે. હવે રોહિત શર્માના નિવેદનથી આ આશંકા વધી ગઈ છે.


ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની સિઝન શરૂ થવામાં હવે અઠવાડિયાનો જ સમય બાકી રહ્યો છે, પરંતુ તે પહેલા કોલકત્તા નાઇટ રાઇડર્સની (KKR) ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. ખરેખરમાં, ટીમે કેપ્ટન શ્રેયસ અય્યરને પોતાની બેક ઇન્જરી સાથે પુરેપુરી રીતે ઠીક થવામાં હજુ 2 થી 3 મહિના સમયો લાગશે, આવામાં તેને આખી સિઝનમાંથી બહાર રહેવાનુ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. કોલકત્તા નાઇટ રાઇડર્સની ટીમે જ્યાં હવે સિઝન શરૂ થતા પહેલા પોતાની ટીમના નવા કેપ્ટનનું એલાન કરવુ પડશે, તેમને શ્રેયસ અય્યરની જગ્યાએ રિપ્લેસમેન્ટ ખેલાડીની પણ પસંદગી કરવી પડશે. અય્યરે વર્ષ 2022ના ઓક્શન દરમિાયન KKR ની ટીમે 12.25 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.