MS Dhoni Likely To Play IPL 2024: આઇપીએલની 16મી સિઝનમાં ધોનીની આગેવાની વાળી ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમ ચેમ્પીયન બની હતી, આ સિઝન પુરી થયા બાદ ફેન્સને આશા હતી કે, ધોની આગામી સિઝન પણ રમશે, જોકે, હવે આ મામલે મોટુ અપડેટ સામે આવ્યુ છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ટીમ સાથે તમામ ક્રિકેટ પ્રેમીઓ આશા રાખી રહ્યા છે કે ધોની આગામી IPL સિઝનમાં રમતા જોવા મળશે. IPLની 16મી સિઝન પૂરી થયા બાદ હવે CSK ટીમના CEO કાશી વિશ્વનાથને કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના વખાણ કર્યા છે. ધોની આ આખી 16મી સિઝન દરમિયાન ઘૂંટણમાં તકલીફ હોવા છતાં રમવાનું ચાલુ રાખ્યું અને ટીમને 5મી વખત ચેમ્પિયન બનાવવામાં પણ સફળ રહ્યો.


આઈપીએલની 16મી સિઝન પૂરી થયા બાદ જ ધોનીએ પોતાના ઘૂંટણની સર્જરી પણ કરાવી હતી, જે સંપૂર્ણ રીતે સફળ રહ્યા બાદ હવે ધોનીની આગામી સિઝનમાં રમવાની આશા ફરી એકવાર વધી ગઈ છે. ન્યૂઝ 18ના અહેવાલ મુજબ, ધોની આગામી સિઝનમાં રમતા જોવા મળી શકે છે.


મહેન્દ્ર સિંહ ધોનીએ પણ 5મી વાર ટાઈટલ જીત્યા બાદ કહ્યું કે તે આગામી આઈપીએલ સિઝનમાં રમવા માંગે છે, પરંતુ આ બધી બાબતો તેની ફિટનેસ પર પણ મોટો આધાર રાખે છે. ધોનીને લઈને 16મી સીઝન દરમિયાન તેના માટે દરેક જગ્યાએ ફેન્સનો સપોર્ટ જોવા મળ્યો હતો. સર્જરી બાદ ધોનીને સંપૂર્ણ રીતે ફિટ થવામાં 2 થી 3 મહિનાનો સમય લાગશે.


CSK ટીમના સીઇઓએ આગામ સિઝન માટે શું કહ્યું -  
ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમના સીઈઓ કાશી વિશ્વનાથને ઈએસપીએન ક્રિકઈન્ફોમાં ધોની વિશે પોતાના નિવેદનમાં કહ્યું કે, અમે તેને ક્યારેય આવા સવાલો નથી પૂછ્યા કે તે રમવા માંગે છે કે નહીં. જો તે રમવા માંગતો ન હતો, તો તેને સીધો આવીને અમને કહ્યું હોત. અમે જાણીએ છીએ કે ઈજાને કારણે તે આ સિઝનમાં ઘણી મુશ્કેલીમાં હતો. પરંતુ ટીમ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા, પોતાનું નેતૃત્વ અને ટીમને કેવી રીતે ફાયદો થાય છે તે બધા જાણે છે. તે દૃષ્ટિકોણથી તમારે તેની પ્રશંસા કરવી જોઈએ.