Election 2024 Exit Polls
(Source: Dainik Bhaskar)
ક્રિકેટ જગતને આંચકો આપતા ધોનીએ વન ડે-T20ની કેપ્ટન્સી છોડી
ધોનીની કેપ્ટન્સીમાં ભારતે 2007 આઇસીસી વર્લ્ડ ટી-20, ICC વર્લ્ડકપ 2011 અને ચેમ્પિયન્સ ટ્રોફી 2013 જીતી છે. ધોનીને 2008માં આઇસીસી વન ડે પ્લેયર ઓફ ધ યર એવોર્ડ (પ્રથમ ભારતીય ખેલાડી જેને આ સન્માન મળ્યુ)સન્માનિત કરવામાં આવ્યો હતો. 2009માં ભારતના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ શ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો હતો. 2009માં વિઝડને સર્વ પ્રથમ ડ્રીમ ટેસ્ટ 11 ટીમમાં ધોનીને કેપ્ટનનો દરજ્જો આપ્યો હતો. ધોનીએ સતત બીજી વખત આઇસીસી વર્લ્ડકપ 2015માં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યુ અને પ્રથમ વખત ભારતે તમામ ગ્રુપ મેચ સાથે સતત 11 વર્લ્ડકપ મેચ જીતવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appધોનીએ અચાનક કરેલી જાહેરાત અંગે બીસીસીઆઈના સીઇઓ રાહુલ જોહરીએ જણાવ્યું હતું કે રમતના ત્રણેય ફોર્મેટમાં ધોનીએ શાનદાર અને સફળ કામગીરી અદા કરી છે અને આ માટે તે ધન્યવાદને પાત્ર છે. તેની આગેવાની હેઠળ ભારતે નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે જેમાં ૨૦૧૧ના વર્લ્ડ કપની સફળતાનો પણ સમાવેશ થાય છે.
દરમિયાન ભારતની રાષ્ટ્રીય પસંદગી સમિતિના ચેરમેન એમ. એસ. કે. પ્રસાદ બુધવારે નાગપુરમાં હતા. જ્યાં ધોની ઝારખંડની ટીમના મેન્ટર તરીકે હાજર હતો. ઝારખંડની ટીમનો ગુજરાત સામે પરાજય થયો ત્યારે ધોની અને પ્રસાદ રણજી ટ્રોફીની સેમિફાઇનલ મેચ નિહાળી રહ્યા હતા.
હવે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની વન ડે શ્રેણીમાં ધોનીને સ્થાને વિરાટ કોહલીને ટીમની આગેવાની સોંપાય તેવી શક્યતા છે. જોકે પોતાનો આ નિર્ણય જારી કરવાની સાથે ધોનીએ પસંદગી સમિતિને એ પણ જાણકારી આપી હતી કે તે ઇંગ્લેન્ડ સામેની ૧૫મીથી શરૂ થઈ રહેલી વન ડે શ્રેણીમાં રમવાનો છે.
ધોનીએ સુકાની તરીકે રાજીનામું આપી દેતાં ક્રિકેટ જગતમાં આઘાત ફેલાયો છે. આ સાથે ભારતીય ક્રિકેટના સૌથી સફળ વન ડે સુકાની તરીકેની ધોનીની કારકિર્દીનો અંત આવ્યો છે. જોકે તે એક ખેલાડી તરીકે રમવાનું જારી રાખશે. બીસીસીઆઈએ જણાવ્યું હતું કે ધોનીએ બોર્ડને માહિતી આપી હતી કે તે વન ડે અને ટી૨૦ ટીમનું સુકાનીપદ છોડવા માગે છે.
નવી દિલ્હીઃ મહેન્દ્ર સિંહ ધોનીએ ભારતીય વન-ડે અને ટી-20 ટીમની કેપ્ટનશીપ છોડી દીધી છે. આ અંગે તેમણે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)ને પણ સૂચના આપી છે. ધોનીના આ નિર્ણય બાદ ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને ટી-20 અને વન-ડે ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવીશકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -