ભારત-શ્રીલંકા વચ્ચે આજે ત્રીજી અને નિર્ણાયક વનડે, બંને ટીમો પાસે શ્રેણી જીતવાની તક
જો ધોની આ વન-ડેમાં 102 રન બનાવશે તો તેના વનડેમાં 10 હજાર રન પૂરા થઈ જશે. આવી સિદ્ધી મેળવનારો ધોની વિશ્વનો 12મો અને ભારતનો ચોથો ખેલાડી બનશે. આ અગાઉ ભારતના સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલી આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિશાખાપટ્ટનમઃ ભારત અને શ્રીલંકાની ટીમ આજે શ્રેણીની ત્રીજી અને આખરી વનડેમાં ટકરાશે. શ્રીલંકાની ટીમને હરાવી ભારત શ્રેણી જીતવા મેદાને ઉતરશે. હાલ બંને ટીમો 1-1ની બરાબરી પર છે. ટીમ ઈન્ડિયા પાસે સીરિઝ જીતવાની સાથે ઇતિહાસ રચવાની પણ તક છે. જો ભારત આ મેચ જીતી જશે તો 85 વર્ષમાં તમામ ફોર્મેટમાં એક જ વર્ષમાં 13 સીરિઝ જીતવાનો રેકોર્ડ બનાવશે.
ટીમ ઈન્ડિયા અત્યાર સુધી આ મેદાન પર ઓક્ટોબર 2015માં દક્ષિણ આફ્રિકા સામે સીરિઝ હાર્યા બાદ એક પણ મેચ હાર્યું નથી. બીજી તરફ શ્રીલંકાની નજર ટીમ ઈન્ડિયા સામે પ્રથમ દ્વીપક્ષીય સીરિઝ જીતવા પર રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -