શું ધોની 2019 વર્લ્ડકપ ટીમનો ભાગ હશે? કોચ રવિ શાસ્ત્રીએ આપ્યો આ જવાબ
ધોની દેશનો સર્વશ્રેષ્ઠ વન-ડે વિકેટકીપર છે. તેના બેટિંગના આંકડાને છોડી દો. તે 36 વર્ષનો છે એટલે તમે તેનો વિકલ્પ શોધો છો. સચિન તેંડુલકર કે સુનિલ ગાવસ્કર 36 વર્ષના હતા ત્યારે તમે તેમના સ્થાને અન્ય કોઇ ખેલાડીને લાવવા માગતા હતા. મહેન્દ્રસિંહ ધોની હજુ પણ સર્વશ્રેષ્ઠ છે તેથી તેના વિકલ્પ અંગે વિચારવાનું પણ છોડી દેવું જોઇએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો કોઇને લાગતું હોય કે ધોનીના દિવસો પૂરા થઇ ગયા છે તો તે મુર્ખામીભર્યું છે. ખેલાડી હજુ ઘણું બતાવી શકવા માટે શક્તિમાન છે. ધોની કેટલીક હદ સુધી દેશનો સર્વશ્રેષ્ઠ વિકેટકીપર બની રહેશે તેમ જણાવીને શાસ્ત્રીએ ઉમેર્યું હતું કે તમે ખેલાડીઓની પસંદગી કેવી રીતે કરો છો, જ્યારે તેઓ શાનદાર પ્રદર્શન કરે છે ત્યારે કરો છો.
શાસ્ત્રીએ જણાવ્યું હતું કે 2019ના વર્લ્ડ કપ પહેલાં ભારત અખતરા કરવા ઉપરાંત રોટેશન પોલિસી અપનાવી રહ્યું છે પરંતુ 36 વર્ષીય ધોની યોજનામાં સામેલ છે. એમએસ ધોનીનો ટીમ પર જોરદાર પ્રભાવ છે અને તે ડ્રેસિંગ રૂમનો 'લિવિંગ લિજેન્ડ' તથા રમતનો મહાન ખેલાડી છે. તે રમતમાં કોઇ પણ રીતે ખતમ થયો નથી. તેણે હજુ પોતાની અડધી રમત પણ રમી નથી.
કોલંબોઃ ભારતના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ શુક્રવારે મહેન્દ્ર સિંહ ધોનીના ભવિષ્યને લઈને ચાલી રહેલ શંકાઓને ખતમ કરતાં કહ્યું કે આ સ્ટારને હજુ તો પોતાનું અડધું પ્રદર્શન પણ નથી કર્યું અને તે ઇંગ્લેન્ડમાં રમાનારા 2019 વર્લ્ડકપ માટે ટીમની યોજનાઓમાં સંપૂર્ણ રીતે સામેલ છે. નોંધનીય છે કે ગુરુવારે પોતાની 300મી વન-ડે રમનાર મહેન્દ્રસિંહ ધોની ફોર્મમાં છે અને તેણે છેલ્લી ત્રણ ઇનિંગ્સમાં અણનમ 45, 67 અને 49 રનની ઇનિંગ્સ રમી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -