આ દિગ્ગજ ખેલાડીએ કહ્યું- કોહલી પંડ્યામાં પોતાને જુએ છે, તેને વધુ ચાન્સ આપશે

આ બન્ને સ્પીનર્સની પ્રસંશા કરતા પૉલૉકે કહ્યું કે ‘‘જો તમે તેમના વનડે આંકડા જોશો તો કુલદીપ યાદવની સરેરાશ 20 થી ઓછી છે અને તેને 38 વિકેટ ઝડપી છે. ચહલનું પણ આ રીતનું છે અને તેની એવરેજ 22 છે. આ બન્નેની ઇકોનૉમી રેટ જબરદસ્ત છે, પણ શું તે ઇગ્લેન્ડમાં ભારતને વર્લ્ડ કપ જીતાડી શકે છે. આ સારું છે કે તમને અહીંનો પ્રવાસ કરવોનો મોકો મળશે જ્યાં તેમના પ્રદર્શનનું આકલન થઇ શકશે. તમને ઇગ્લેન્ડમાં હંમેશા આવી રીતે પીચ નહીં મળે જ્યાં બૉલ ટર્ન થતો હોય.’’
પંડ્યા ઉપરાંત પૉલેકે આ સીરીઝમાં ભારતના સૌથી સફળ બૉલર કુલદીપ યાદવ અને યજુવેન્દ્ર ચહલનો ઉલ્લેખ કર્યો હતો.
ટેસ્ટ ક્રિકેટમાં સાઉથ આફ્રિકાના સૌથી સક્સેસ બૉલર પૉલેકે કહ્યું કે, ‘‘આ ક્રિકેટની પ્રકૃતિ છે, જો કેપ્ટન કોઇ ખેલાડીની રમતથી ખુશ હોય તો તે ખેલાડીને વધુ ચાન્સ મળે છે.’’
સાઉથ આફ્રિકાના પૂર્વ કેપ્ટન શૉન પૉલૉકનું માનવું છે કે વિરાટ કોહલીને હાર્દિક પંડ્યામાં પોતાની ઇમેજ દેખાઇ રહી છે અને તેને આ ભારતીય ટીમમાં આ ઓલરાઉન્ડરને લાંબા સમય સુધી ચાન્સ આપવાની ભવિષ્યવાણી પણ કરી. .
પૉલૉકે કહ્યું કે, ‘‘મને સ્પષ્ટ રીતે સંકેત મળી રહ્યાં છે કે કોહલી હાર્દિક પંડ્યા એટીટ્યૂડને પસંદ કરે છે. કોહલી જે રીતે ક્રિકેટ રમે છે તેને આ મેચ થાય છે. અને આ એટીટ્યૂડ પસંદ છે તેથી સંભાવના છે કે પંડ્યાને ટીમમાં રહેવા અને પોતાની જગ્યા બનાવવા માટે લાંબો સમય મળશે.’’
જી હા, અમે વાત કરી રહ્યાં છીએ હાર્દિક પંડ્યાની, ભલે હાર્દિક બેટથી કોઇ ખાસ કમાલ કરી શક્યો પણ એબી ડીવિલિયર્સ અને જેપી ડ્યૂમિનીને ખાસ વિકેટ ચટકાવ્યા બાદ પંડ્યાએ અમલાને એક મહત્વનો રનઆઉટ પણ કર્યો.
પોર્ટ એલિઝાબેથઃ સાઉથ આફ્રિકામાં ઐતિહાસિક જીત નોંધાવ્યા બાદ ભારતીય ટીમની નજર હવે સીરીઝનો 5-1 થી સફાયો કરવાનો છે. ગઇ મેચમાં ભારતીય ટીમે રોહિત શર્મા અને કુલદીપ યાદવ ઉપરાંત વધુ એક ખેલાડીના શાનદાર પ્રદર્શનથી મેચનું પાસુ પલટાયું છે.