ઓસ્ટ્રેલિયા સામેની વનડે સીરિઝ પહેલા ભારતને ફટકો, ધવન 3 મેચો માટે થયો બહાર, જાણો કેમ
શિખર ધવન ચેમ્પિયન્સ ટ્રૉફીથી જબરદસ્ત ફોર્મમાં છે. શ્રીલંકા વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાં તેને ભારત તરફથી સૌથી વધુ રન (358) બનાવ્યા હતા અને પહેલી વનડેમાં તેને 132 રનની શાનદાર ઈનિંગ રમી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેના પહેલા શિખર ધવન પોતાની બીમાર માની દેખરેખ માટે શ્રીલંકા પ્રવાસ પહેલા ભારત પાછો ફર્યો હતો. ધવને શ્રીલંકા પ્રવાસમાં એકમાત્ર ટી-20 મેચમાં ભાગ લીધો હતો. સાથે વનડે સીરિઝની પાંચમી અને છેલ્લી વનડેમાં પણ ટીમનો ભાગ બન્યો હતો.
ભારતીય ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, કેએલ રાહુલ, મનીષ પાંડે, કેદાર જાધવ, અજિંક્ય રહાણે, મહેંદ્ર સિંહ ધોની, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યજુવેંદ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, ભુવેનેશ્વર કુમાર, ઉમેશ યાદવ, મોહમ્મદ શમ્મી.
રાષ્ટ્રીય પસંદગી સમિતિએ શિખરની રજાઓ માન્ય કરી દીધી છે. પરંતુ બીસીસીઆઈએ શિખરના સ્થાને કોઈ બીજા ખેલાડીની પસંદગી નહીં કરવાની જાહેરાત કરવાનો નિર્ણય કર્યો છે.
નવી દિલ્લી: ભારતીય ઓપનર બેટ્સમેન શિખર ધવન ઓસ્ટ્રેલિયા સીરિઝ પહેલા ત્રણ વનડેમાં રમશે નહીં. શિખર ધવનની પત્ની આયશા બીમાર હોવાના કારણે શિખરે બીસીસીઆઈને ટીમમાંથી રિલીઝ કરવાનો અનુરોધ કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -