Election 2024 Exit Polls
(Source: Dainik Bhaskar)
વિરાટે ઓરેન્જ કેપ લેવાની પાડી ના, ગુસ્સામાં આપ્યું આ નિવેદન...
સેરેમની દરમિયાન વિરાટને જ્યારે આઈપીએલની ઓરેન્જ કેપ આપવામાં આવી તો તેણે તેને પહેરવાની ના પાડી દીધી. ઓરેન્જ કેપ લેતા કોહલીએ પોતાનો ગુસ્સો ઠાલવતાં કહ્યું કે, હું તેને પહેરવા નથી માગતો. હાલમાં, તેને ફેંક દેવાનું મન થાય છે અને હું એના પર ફોકસ કરવા માગીશ કે અમે વિકેટ કેવી રીતે ગુમાવી. કોહલીનો આ ગુસ્સો અપ્યાર માટે નહીં પરંતુ આરસીબીના મોટા ખેલાડીઓ માટે હતો જે તેનો સાથ આપવામાં નિષ્ફળ રહ્યા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોહલી સમગ્ર મેચ દરમિયાન ગુસ્સામાં જોવા મળ્યો. શાનદાર બેટિંગ કરતાં કોહલીએ 92 રન બનાવ્યા, જોકે તે મેચ ન જીતી શક્યા. જોકે આ મોટી ઇનિંગની સાથે સીઝન ઓરેન્જ કેપ હોલ્ડર પણ બની ગયો. તેમ છતાં કોહલીનો ગુસ્સો શાંત નતો પડ્યો.
વિરાટેના ગુસ્સાનું કારણ બની મુંબઈ ઇન્ડિયનની બેટિંગ દરમિયાન 19મી ઓવર. આ ઓવરમાં હાર્દિક પંડ્યાના થર્ડ અમ્પાયરે નોટ આઉટ આપ્યો હતો. સાથે જ હાર્દિક પંડ્યાએ ત્યાર બાદ તેનો પૂરો લાભ પણ લીધો અને 2 બોલમાં 2 શાનદાર છગ્ગા ફટકાર્યા. તેનાથી અમ્પાયર પર કોહલી ખૂબ ગુસ્સે થયો હતો.
કોહલીએ મુંબઈની બેટિંગ ખત્મ થયા બાદ પણ અમ્પાયર સામે આ મુદ્દે નારાજગી વ્યક્ત કરી હતી. કોહલી નિર્ણય બાદ વારંવાર સ્ક્રીન તરફ ઈશારો કરીને અમ્પાયરને ખોટા સાબિત કરી રહ્યા હતા.
નવી દિલ્હીઃ વિરાટે મુંબઈની વિરૂદ્ધ અણનમ 92 રનની ઇનિંગ દરમિયાન આઈપીએલ ઇતિહાસમાં સૌધી વધારે રન બનાવનાર ખેલાડી બની ગયો. જોકે તેમ છતાં તેની ટીમ હારી ગઈ. સાથે જ મેચના સમયે એવું પણ થયું કે જ્યારે વિરાટ કોહલી અમ્પાયર પર ગુસ્સે થઈ ગયો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -