સુરતઃ યુવકને સગી ભાભી સાથે બંધાયા સેક્સ સંબંધ, ભાઈને ખબર પડી જતાં શું થયું ? જાણો વિગત
જેમાં હત્યાના કારણમાં સુરેશ મોટાભાઈ કિલાજીની પત્ની સાથે અનૈતિક સંબંધ ધરાવતો હતો. જેમાં ભાઈ આડખીલી રૂપ બનતાં તેનું કાયમી કાસળ કાઢી નાખવા માટે હત્યા કરી છે. પોલીસે સુરેશની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉપરોક્ત બનાવ અંગે જાણ થતાં મહિધરપુરા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે શંકાસ્પદ વર્તુણકના પગલે સુરેશની પુછપરછ કરી હતી. જેમાં પોલીસે કડક પુછપરછ કરતાં સુરેશે જ તેના મોટાભાઈની હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. નાના ભાઈ અન ભાભી વચ્ચે અનૈતિક સંબંધો હતા તેની મોટાભાઈને જાણ થતાં બંન્ને વચ્ચે ઝઘડો થયો હતો. બંન્ને ભાઈ વચ્ચે મોડીરાત સુધી બોલાચાલી થઈ હતી જેનું અંતે સમાધાન થતાં બંન્ને ભાઈ સુઈ ગયા હતાં.
એ પછી બંન્ને ભાઈઓ રાત્રે સુઈ ગયા હતાં. જ્યાં મધ્યરાત્રિના સમયે સુરેશે તેના મોટાભાઈ કિલાજીના માથામાં લાકડાના ફટકા અને વાયર વડે ગળે ટુંપો આપીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ઊંઘમાં જ કિલાજીની હત્યા કરીને સુરેશ સુઈ ગયો હતો. હત્યાનો ભોગ બનેલ કિલાજીના છ સંતાનોએ પિતાનો છત્રછાયા ગુમાવી દીધો છે.
સુમુલ ડેરી રોડ ઉપર અલકાપુરી ખાતે હરીઓમ ફરસાણ માર્ટ નાની દુકાન આવેલી છે. આ દુકાનમાં કિલાજી ઉર્ફે ગોવિંદજી હમીરજી ઠાકોર અને તેનો નાનો ભાઈ સુરેશ (મૂળ બેચરાજી) સાથે કામ કરીને દુકાનમાં જ રહેતા હતાં. આ સમયે ગઈકાલે રાત્રે કિલાજી અને સુરેશ વચ્ચે ઝઘડો થયો હતો.
સુરત: સુરત શહેરના સુમુલ ડેરી રોડ ઉપરના અલકાપુરી ખાતે ફરસાણની દુકાનમાં સાથે કામ કરતાં બે ભાઈઓ પૈકી નાનો ભાઈ તેની ભાભી સાથે અનૈતિક સંબંધ ધરાવતો હતો. આ દરમિયાન ગઈકાલે રાત્રે પોતાની ભાભીને પામવા માટે સગા મોટાભાઈને લાકડાના ફટકા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -