Reliance Jio: ટેલિકૉમ ક્ષેત્રે રિલાયન્સ જિઓ સતત નવા નવા સુધારા અને અપડેટ કરતું રહે છે, અને પોતાના ગ્રાહકોને વધુ ને વધુ હટકે સુવિધાઓ આપતુ રહે છે. રિલાયન્સ જિઓએ પોતાના યૂઝર્સ માટે એક શાનદાર સ્કીમ લૉન્ચ કરી છે. આમાં તમે ફી ભરીને તમારી પસંદનો નંબર પસંદ - મનગમતો નંબર મેળવી શકો છો. કંપનીએ આ સ્કીમ એવા લોકો માટે શરૂ કરી છે જેઓ પોતાની ઈચ્છા મુજબ પોતાનો મનગમતો ખરીદવા માંગે છે. Jio ચૉઈસ નંબર સ્કીમ હેઠળ યૂઝર્સ માત્ર 499 રૂપિયા ચૂકવીને તેમનો નંબર પસંદ કરી શકે છે. આમાં યૂઝરને તેના નંબરના છેલ્લા 4-6 અંક પસંદ કરવાની સુવિધા મળે છે. જો યૂઝર દ્વારા પસંદ કરાયેલો નંબર ઉપલબ્ધ ન હોય તો Jio યૂઝરને તેના પિનકૉડના આધારે અન્ય નંબરનો વિકલ્પ પણ આપશે.


શું છે પ્લાન 
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે રિલાયન્સ જિઓની આ નવી સ્કીમ JioPlus પૉસ્ટપેડ યૂઝર્સ માટે લાવવામાં આવી છે. આ સાથે યુઝર્સને આ સ્કીમ સાથે નવું સિમ કાર્ડ પણ આપવામાં આવશે. આ યોજનાનો લાભ મેળવવા માટે, સૌ પ્રથમ તમારે વેબસાઇટ https://www.jio.com/selfcare/choice-number પર જવું પડશે. તમારો JioPostpaid Plus નંબર અહીં એન્ટર કરો. પછી OTP દાખલ કરીને વેરિફિકેશન કરો. આ પછી એક નવું પેજ ખુલશે, જ્યાં તમે 4-6 અંક, નામ અને તમારી પસંદગીનો પિન કૉડ દાખલ કરી શકો છો.


પછી તમે તમારા પિન કૉડ અનુસાર ઉપલબ્ધ ફોન નંબરો જોશો. અહીં તમે તમારી પસંદગીનો નંબર પસંદ કરીને અને પેમેન્ટ કરીને નવું સિમ કાર્ડ મેળવી શકો છો. આ સિવાય તમે My Jio એપ પરથી પણ આ સ્કીમનો લાભ મેળવી શકો છો. સ્માર્ટફોન પર MyJio એપ ડાઉનલૉડ કરો અને તેને ઇન્સ્ટૉલ કરો. એપ્લિકેશનમાં તમારો Jio પૉસ્ટપેડ નંબર દાખલ કરો. અહીં "પસંદ કરેલ નંબર" વિકલ્પ પર ક્લિક કરો. પછી તમારું નામ, પિન કૉડ અને તમારી પસંદગીના છેલ્લા 4-5 અંકો દાખલ કરો અને "ઉપલબ્ધ નંબરો બતાવો" પર ક્લિક કરો.


પ્રીમિયમ યૂઝર્સને થશે ફાયદો 
રિલાયન્સ જિઓની આ નવી સ્કીમથી પ્રીમિયમ યૂઝર્સને ઘણો ફાયદો થવાનો છે. આની મદદથી હવે લોકો સરળતાથી પોતાનો મનપસંદ નંબર પસંદ કરી શકશે. પહેલા આના માટે કસ્ટમાઇઝ્ડ ફી વસૂલવામાં આવતી હતી, પરંતુ હવે 499 રૂપિયામાં પ્રીમિયમની સાથે અન્ય યૂઝર્સને પણ આ સ્કીમનો લાભ મળશે.


આ પણ વાંચો


Earthquake in Jammu Kashmir: એક પછી એક ભૂકંપના જોરદાર ઝટકાથી હલ્યૂ જમ્મુ-કાશ્મીર, રિએક્ટર સ્કેલ પર 4.9ની તીવ્રતા


Success Story: યુટ્યૂબની સૌથી ફેમસ શિક્ષિકા હિમાંશી આજે કમાઇ રહી છે લાખો રૂપિયા, પહેલી કમાણી હતી માત્ર આટલા રૂપિયા...


Himachal Disaster: હિમાચલમાં વાદળ ફાટતા હાહાકાર, પૂર અને ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં 31 લોકોના મોત