Ahmedabad Gas leakage: અમદાવાદમાં મોટી દુર્ઘટના, કંપનીમાં ગેસ ગળતરથી 2ના મોત, 7ની તબિયત લથડી

Continues below advertisement

અમદાવાદના નારોલમાં ગેસ ગળતર.દેવી સિન્થેટિક પ્રાઇવેટ લિમિટેડ નામની કપડાની ડાઇંગ કરતી ફેકટરીમાં ગેસ ગળતર.9 લોકોને અસર. 2 ના મોત

અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી દેવી સિન્થેટિક પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં ગેસ ગળતરની ઘટના બની.સલ્ફયુરિક એસિડનું ટેન્કર ખાલી થતા સમયે બ્લીચિંગ વિભાગમાં કોસ્ટિક સોડાનું રિએક્શન આવતા ગેસ ગળતર થયું હતું જેના કારણે નવ શ્રમિકોને અસર થતા LG હોસ્પિટલ ખસેડવામાં આવતા બે લોકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.

આ તરફ 32 વર્ષીય લવકુશ મિશ્રા અને 25 વર્ષીય કમલ યાદવને ગેસ ગળતરના કારણે ફેફસામાં વધુ અસર થતા બંનેના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે

પરિવારના સભ્યોએ આપવીતી જણાવી કંપનીના સંચાલકો ઉપર આક્ષેપ લગાવ્યા અને કહ્યું મૃતક કમલ યાદવ અને લવકુશ મિશ્રા છેલ્લા 5 વર્ષથી કંપનીમાં શ્રમિકો તરીકે કામ કરતા હતા.ઘટના બની ત્યારે સેફટી માટેના સાધનો પુરા પાડવામાં આવ્યા ન હતા.આરોપીઓને સખત સજા કરવાની મૃતકના પરિવારજનોએ માંગ કરી છે

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram