અમદાવાદની આ કોવિડ હોસ્પિટલમાં 12 દિવસમાં 304 દર્દી થયા ડિસ્ચાર્જ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 May 2021 11:13 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના જીએમડીસી ગ્રાઉંડ પર ઉભી કરાયેલ ધનવંતરી કોવિડ હોસ્પિટલ દર્દીઓ માટે આશાનું કિરણ બની છે. 12 દિવસના જ ટૂંકાગાળામાં ધનવંતરી કોવિડ હોસ્પિટલમાંથી કુલ એક હજાર 258 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 304 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આઈસીયુમાં દાખલ ગંભીર દર્દીઓમાંથી પણ 21 દર્દીને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે. ટોકન સિસ્ટમ અને ફરજીયાત 108ના નિયમો નીકળી જવાના કારણે નાગરિકોને પણ રાહત થઈ છે અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આસરળતા થતા દર્દીઓ માટે ધનવંતરી કોવિડ હોસ્પિટલ સંજીવની સાબિત થઈ રહી છે.