અમદાવાદઃ પીરાણામાં અગ્નિકાંડ મામલે ત્રણ આરોપીઓની કરાઇ અટકાયત, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદના પિરાણા-પીપળજ રોડ પર સાહિલ ફેક્ટરી દુર્ઘટનામાં પોલીસે ફેક્ટરીના માલિક, ગોડાઉન માલિક અને એસ્ટેટના માલિક સહિત 3ની અટકાયત કરી હતી. તેમની વિરુદ્ધ સદોષ મનુષ્ય વધનો ગુના સહિત આઈપીસીની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. તપાસમાં સાહિલ એંટરપ્રાઈઝના માલિકે કોઈ પણ પ્રકારના કેમિકલ લાયસંસ કે સરકારના પરવાના વગર પોતાની ફેક્ટરીમાં જીવલેણ કેમિકલનો સંગ્રહ કર્યો હોવાનો ખુલાસો થયો હતો. ગોડાઉનના માલિક પ્રદીપ ભરવાડને કેમિકલના ધડાકા તથા આગનાબનાવ બને તો માણસોની જાનહાની થાય તેવી ખબર હોવા છતા બેદરકારી દાખવી હતી. તે સિવાય બાજુમાં એસ્ટેટના માલિક નાનુભાઈ ભરવાડે ગોડાઉનો અસુવિધાવાળા, ફાયર સેફ્ટીના પુરતા સાધનો ન રાખી, ફેક્ટરીમાં ખતરનાક કેમિકલ પ્રક્રિયા થાય છે તેની જાણ હોવા છતાં કોઈ પણ પ્રકારની મંજૂરી વિના આ ગોડાઉન અન્યોને આપીને લાપરવાહી દાખવી હતી.