અદાણી ગ્રુપની કોવિડ કેર સેન્ટર કાર્યરત કરવાની જાહેરાત, અમદાવાદ સ્થિત અદાણી વિદ્યામંદિર સ્કૂલમાં કરશે શરું
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Apr 2021 05:32 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે DRDO સંચાલિત ધનવંતરી હોસ્પિટલના નિરીક્ષણ સમયે કરેલી હાકલ બાદ અદાણી તરફથી કોવિડ સેન્ટર ઉભું કરવામાં આવી રહ્યું છે. મકરબા સ્થિત અદાણી વિદ્યા મંદિર ખાતે 100 જેટલા બેડ ધરાવતું કોવિડ સેન્ટર ઉભું કરવામાં આવનાર છે. કોવિડ સેન્ટરમાં ઓક્સિજન અને વેન્ટિલેટરની સુવિધા પણ શરૂ કરવામાં આવશે. જેના માટે શાળાના કેમ્પસમાં જ ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરવામાં આવશે.તૈયારીઓ એ પ્રકારની પણ છે કે આગામી એક સપ્તાહ સુધીમાં અદાણી વિદ્યા મંદિર ખાતે કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવનાર છે.