Ahmedabad Monsoon Updates| આ રોડ પરથી નીકળતા પહેલા ચેતી જજો નહિંતર ધડામ કરી પડશો ખાડામાં
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ માં ગુરુવારે પડેલા વરસાદમાં રોડ તૂટ્યો. ધરણીધર બ્રિજથી માણેકબાગ જવાનો રોડ બેસી જતા પ્રશાસને બેરીકેટિંગ કર્યું છે.
વિઓ-અમદાવાદ જ્યાં ગુરુવારે પડેલા વરસાદમાં રોડ તૂટવાના શ્રી ગણેશ થયા છે.ધરણીધર બ્રિજથી માણેકબાગ જવાના માર્ગ ઉપર ગુરુવારે રોડ બેસી ગયો હોવાના ફોટા સ્થાનિકોએ સોશ્યલ મીડિયા પર વાયરલ કર્યા હતા.જે બાદ સાંજે AMC એ બેરીકેટ કર્યું.બેરીકેટિંગ બાદ રોડ બેસી જવાની ઘટના બની.અંદાજે 8 ફૂટ ઊંડો ખાડો પડવાની દહેશત AMC એ પહેલાં જ વ્યક્ત કરી હતી.એક વર્ષ સુધી ચાલતી સિવર વોટર લાઈન નાખવાની કામગીરીના પગલે રોડ બેસવાની આશંકા વ્યક્ત કરાઇ હતી.આ તરફ રોડ બેસવા મામલે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ આમને સામને આવ્યા હતા.જેમાં કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર રોડ બેસવાની ચેતવણી આપી તો એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે વળતો જવાબ આપતા કહ્યું બેરીકેટિંગ થયું છે..ફોટો ડીલીટ કરો