અમદાવાદઃ છેલ્લા સાત મહિનાથી બંધ કેમ્પ હનુમાન મંદિર ખોલવાને લઇને ક્યારે આવી શકે છે નિર્ણય?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
છેલ્લા સાત મહિનાથી બંધ અમદાવાદમાં આવેલા કેમ્પ હનુમાન મંદિરને ખોલવાની માંગણી સાથે ચેરીટી કમિશનરમાં થયેલી અરજી પર ચેરિટી કમિશનર પક્ષકારોને સાંભળ્યા બાદ આવતીકાલે હુકમ કરી શકે છે. કેમ્પ હનુમાન મંદિર ટ્રસ્ટને મંદિર ખોલવા માટે નિર્દેશો જાહેર થાય એવી ચેરિટી કમિશનર સમક્ષ માંગણી કરાઇ છે. તે સિવાય કોરોના ગાઇડલાઇનનું પાલન થાય તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરવાની પણ રજૂઆત કરાઇ છે. ભક્તોની લાગણી ન દુભાય તે માટે યોગ્ય આયોજન કરી અને મંદિર ફરીથી ભક્તો માટે શરૂ કરવામાં આવે તેવી પણ છે રજૂઆત કરાઇ હતી.