Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટ: જિલ્લામાં મનપાના તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠીયાની ઓફિસ ખાતે એસીબીની તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યાં તપાસ દરમિયાન 150 ફૂટ રિંગરોડ પર આવેલ સાગઠીયાની ઓફિસનું સીલ ખુલતા રૂપિયા 3 કરોડની રોકડ રકમ હાથ લાગી હતી. ઉપરાંત એક કરોડથી વધુની કિંમતનું સોનું પણ મળી આવ્યું હતું. એવું માનવામાં આવે છે કે, આગળ વધુ તપાસ કરતાં વધુ ખુલાસા થાય તેવી પુરી શક્યતા છે
ગુજરાતના રાજકોટ અગ્નિકાંડમાં ગેમઝોનને મંજૂરી આપવાના કેસમાં ઝડપાયેલા કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી. સાગઠિયાને લઇને મોટો ખુલાસો સામે આવ્યો છે. જેમાં મળતી માહિતી મુજબ એમ.ડી. સાગઠિયાએ ભ્રષ્ટાચાર આદરીને કરોડો રૂપિયાની સંપત્તિ એકત્ર કરી હતી. જેના એસીબીએ વધુ તપાસ હાથ ધરતા તેમની સીલ કરાયેલી પાલિકાની ઓફિસમાંથી 5 કરોડ રૂપિયા રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું હતું. જેને એસીબીએ જપ્ત કર્યું છે.