Bhavnagar News | ભાવનગરમાં સફાઇકર્મીના ડ્રેનેજની કામગીરી દરમિયાન મોત મામલે અંતે પરિવારે સ્વીકાર્યો મૃતદેહ
gujarati.abplive.com
Updated at:
12 Nov 2023 05:02 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppBhavnagar News | ભાવનગરમાં સફાઈ કામદારના મોતના મામલે 48 કલાક બાદ પરિવાર દ્વારા મૃતદેહ સ્વીકારવામાં આવ્યો. શહેરના સેન્ટ્રલ સોલ્ટમાં ડ્રેનેજ સફાઈ દરમિયાન બચાવવા ગયેલ રાજેશભાઈ વેગડનું અવસાન થયું હતું. પરિવારે વિવિધ માંગો ની સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો જે બાદ મોટા ભાગની માંગો આજે મહાનગરપાલિકાએ સ્વીકારી લેતા મામલો સમેટાયો. વળતર સ્વરૂપે મ.ન.પાએ પરિવારને 30 લાખ રૂપિયાનો ચેક આપ્યો સાથે જ પરિવારના સભ્યોને નોકરી આપવા માટેની મ.ન.પા દ્વારા રાજ્ય સરકારને દરખાસ્ત મોકલવામાં આવશે. સમગ્ર મામલે રાજેશભાઈ વેગડના મોતને લઈ એ. ડિવિઝન પોલીસ મથકમાં A.D દાખલ કરવામાં આવી છે અને વધું તપાસ હાથ ધરવામાં આવી છે.