Bhavnagar News: ગારીયાધાર તાલુકાના હત્યા કેસમાં નવો વળાંક આવ્યો
abp asmita
Updated at:
18 May 2024 12:53 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાવનગરમાં આડા સંબંધમાં મામાએ બે ભાણેજની હત્યા કરી હોવાનો ખુલાસો. પોલીસે દાટી દીધેલા દીપકના મૃતદેહને બહાર કાઢી તપાસનો ધમધમાટ કર્યો તેજ.
ભાવનગર ગારીયાધાર તાલુકાના હત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. ઝીણા તડવીના ભાઈની પણ હત્યાના પ્રકરણમાં દીપક તડવવીની હત્યાનું આરોપીએ કબૂલ્યું. સમગ્ર બનાવ 15 તારીખનો હતો જેમાં ફાચરિયા ગામની વાડીમાં હત્યા કરેલ હાલતમાં જીણા ભાઈ તડવીની લાશ મળી હતી. આ હત્યાની ઘટનામાં તેમના સગા મામાની પોલીસે ધરપકડ કરી હતી જેની તપાસમાં અન્ય ભાઈની પણ હત્યા કરી હોવાનું ખુલતા પોલીસે દાટી દીધેલ દીપકની લાશને બહાર કાઢી છે. આ ડબલ મર્ડર કેસમાં સગા મામાએ જ આડા સંબંધના કારણે બંને ભાણીયાની હત્યા કરી હોવાનું ખુંલી રહ્યું છે.