Cyclone Tauktae: ગુજરાતના અસરગ્રસ્ત વિસ્તારોનું PM મોદીએ કર્યું હવાઇ નિરીક્ષણ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 May 2021 02:58 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતૌકતે વાવાઝોડાએ ગુજરાતમાં તબાહી મચાવી છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે તારાજી સર્જાય છે. ખેતીના પાકને નુકસાન થયું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. તેમણે ભાવનગરથી હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડા બાદની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તેઓએ ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને સંઘ પ્રદેશ દિવમાં તારાજીનું હવાઈ નિરીક્ષણ શરૂ કર્યું છે. હવાઈ નિરીક્ષણ બાદ પીએમ મોદી અમદાવાદ પહોંચશે. જ્યાં તેઓ મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ રાજ્યના વરિષ્ઠ સચિવો સાથે સમીક્ષા બેઠક કરશે.