Gandhinagar: CM રૂપાણીના પત્ની અંજલીબેને કોરોનાની વેક્સીન લીધી, જાણો શું કહ્યુ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાતમાં આજથી શરૂ થયેલા કોરોનાની રસિકરણના બીજા તબક્કામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલિબેન અને તેમના પરિવારે ભાટ ગામમાં આવેલી એપોલો હોસ્પિટલમાં રસીનો પહેલો ડોઝ લીધો હતો. અંજલિબેને એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રસી લીધા બાદ તેમને કોઈ આડઅસર અનુભવાતી નથી. તમામ લોકોએ નિઃસંકોચ રસી લેવી જોઈએ. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ મંત્રીઓ અને તેમના પરિવારે ખાનગી હોસ્પિટલમાં રસી લેવાની હોવાથી તેમને પરિવાર સાથે ખાનગી હોસ્પિટલમાં રસી લીધી છે