ગાંધીનગરઃ રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનને લઇ રાજ્ય સરકારે શું આપ્યું મોટું નિવેદન?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Oct 2020 06:09 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનને લઇ રાજ્ય સરકારે મોટું નિવેદન આપ્યું છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે પાછોતરા વરસાદના આંકડાઓ કૃષિ વિભાગને મોકલવામાં આવ્યા છે. અહેવાલ આવ્યા બાદ વળતર ચૂકવી શકાય કે નહીં તેનો નિર્ણય લેવાશે. ઉપરાંત કૃષિ મંત્રી આરસી ફળદુુએ વધુ તાલુકાઓને કૃષિ સહાય પેકેજમાં સમાવવા મુદ્દે કહ્યું કે, આ અંગેનો નિર્ણય આઠ બેઠકો પર ચૂંટણી પ્રક્રિયા બાદ સરકાર લેશે. આગામી દિવસોમાં રાહત પેકેજમાં સમાવવા કે કેમ તેનો નિર્ણય લેવાશે.